Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોરાષ્ટ્રમાં ભારે વરસાદ,જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 35 ઈંચ વરસાદ

Webdunia
સોમવાર, 24 ઑગસ્ટ 2020 (19:02 IST)
હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે સવાર સુધીમાં વરસેલા કુલ વરસાદની ટકાવારી 102 ટકા નોંધાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં જોઈએ તેના કરતા 18 ટકા વધુ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ વરસવાની આગાહી કરી છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનો મહત્વનો ગણાતો મોરબી-કચ્છ હાઈ-વે પાણી પાણી થઈ ગયો છે. હાઈ-વે પર મચ્છુ નદીના પાણી ફરી વળ્યા છે. જેને કારણે મોરબીથી કચ્છનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. હાઈવે પર પાણી ભરાતા કાર પણ ફસાઇ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા અને કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ દોડી આવ્યા હતા 
હાલારમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત બીજા દિવસે મેઘરાજાએ મુકામ કરતા આખા જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 35 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં જામનગરમાં 5 ઈંચ, કાલાવડમાં 3 ઇંચ, ધ્રોલમાં 6 ઈંચ, લાલપુરમાં 3 ઈંચ, જામજોધપુરમાં દોઢ ઈંચ, તો સૌથી વધારે જોડીયામાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી બાજુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકને નુકસાન થવાથી હવે તો મેઘરાજા ખમૈયા કરે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.
 
સૌરાષ્ટ્રમાં મેઘસવારી યથાવત રહી હતી અને 74 તાલુકા મથકોએ અડધાથી છ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે મોરબી જિલ્લાનાં આમરણ ચોવિસી પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં 15 ઈંચ જેવા વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી.
 
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિસાવદર અને ગીરગઢડામાં મુશળધાર છ ઈંચ તો મોરબી અને ધોરાજી પંથકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માળીયા હાટીના, માંગરોળ, માણાવદર, હળવદ, માળીયા મિંયાણા, તાલાલા, ધ્રાંગધ્રામાં ચાર ઈંચ તો ગોંડલ, જૂનાગઢ, જોડિયા, રાજુલા, ઉના, કોડિનાર, ખંભાળિયા, પોરબંદર, લીંબડીમાં ત્રણ ઈંચ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments