Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરાના ભાદરવામાં સરપંચે વિધવા ભાભીને 3 હજારના કામની લાલચ દુષ્કર્મ આચર્યું

Webdunia
બુધવાર, 13 જુલાઈ 2022 (14:42 IST)
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવામાં રહેતી વિધવા ભાભીને 3 હજાર રૂપિયાનું કામ અપાવવાની લાલચ આપીને દિયરે દુષ્કર્મ આચર્યું હતું. હવસનો શિકાર બનેલી મહિલાએ દુષ્કર્મ આચરનાર હવસખોર સરપંચ સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.ભાદરવા તાલુકાના એક ગામમાં રહેતા ઉમાબેન (નામ બદલ્યું છે) વિધવા છે.

પતિના મૃત્યું બાદ તે પોતાના ગામ પાસે આવેલી કંપનીઓમાં સફાઇનું કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના 43 વર્ષીય દિયર હસમુખ ગોરધનભાઈ મોક્સી ગામના સરપંચ છે. બે દિવસ પહેલાં દિયરે ભાભી પર દુષ્કર્મ આચરતા પોલીસે ફરિયાદના આધારે હવસખોર હસમુખની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ભાદરવા પંથકમાં ચકચાર જગાવી મૂકી છે.આ બનાવ અંગે ભાદરવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. બી. કોટવાલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ઉમાબેન રાબેતા મુજબ તેમના ગામની આસપાસમાં આવેલી કંપનીઓમાં સવારના સમયે સફાઈ કામ કરીને ચાલતા પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન તેમનો દિયર અને મોક્સી ગામનો સરપંચ પોઇચા ચોકડી પાસે ભાભી ઉમાબેને મળ્યો હતો અને ભાભીને 3 હજાર રૂપિયાનું કામ અપાવવાના બહાને પોતાના ટુ-વ્હીલર ઉપર બેસાડીને પોઇચા ગામ તરફ જવાના રસ્તા ઉપર એકાંત જગ્યા ઉપર લઇ ગયો હતો.સરપંચ હસમુખ તેની ભાભીને પોઇચા ગામની સીમમાં લઇ ગયા બાદ બળજબરીથી હાથ પકડી ઝાડીમાં ખેંચી ગયો હતો અને મોઢામાં ડૂચો મારીને તેઓની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ ઉમાબેન બેભાન થઇ જતાં, તેઓને સ્થળ ઉપર છોડી ફરાર થઇ ગયો હતો. દરમિયાન ઉમાબેને ભાદરવા પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની સાથે બનેલી ઘટનાની માહિતી સાથે દિયર હસમુખ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સરપંચ હસમુખ સામે ગુનો દાખલ કરીને પોલીસે તેની અટકાયત કરી હતી. મહિલાને પહેલા ભાદરવાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments