Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ એરપોર્ટ ખાતે નવા વરાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું કરાયું સ્વાગત

રાજયપાલ આચાર્ય દેવવ્રત
અમદાવાદ: , સોમવાર, 22 જુલાઈ 2019 (08:43 IST)
ગુજરાતના નવા વરાયેલ પદનામિત રાજયપાલ આચાર્ય દેવવ્રત આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલને એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રાજ્યપાલ સાથે તેમના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા.  
રાજયપાલ આચાર્ય દેવવ્રત
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બિજલબેન પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ જ્હા, અમદાવાદના કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘ વગેરેએ ઉપસ્થિત રહી રાજ્યપાલને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. 
રાજયપાલ આચાર્ય દેવવ્રત
આ અવસરે રાજ્યના જુદા જુદા વિભાગના સચિવો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજભવન ખાતે પણ વિદાય લેતા રાજ્યપાલ ઓ. પી. કોહલી તથા લેડી ગવર્નર શ્રીમતી કોહલીએ પદનામિત રાજયપાલ આચાર્ય  દેવવ્રત તથા પરિવારજનોને ઉષ્માભેર આવકાર્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ રિષભ પંતને તક