Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂ

Webdunia
શનિવાર, 21 નવેમ્બર 2020 (08:25 IST)
અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત કર્યા બાદ આજે રાજ્યના અન્ય શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. ત્રણેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. આ અંગે ત્રણેય શહેરના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર દ્વારા રાજ્યના અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં જણાવ્યું હતું. કેસોમાં વધારો થતાં અમદાવાદમાં પણ આજ રાતથી કરફ્યૂ આપી દેવામાં આવ્યો છે ત્યારે હવે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ કરફ્યૂ આપવાને લઇને વિચારણા કરવામાં આવી હતી 
 
નીતિન પટેલે જણાવ્યું છે કે, આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. આજથી 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. તેની ચર્ચા કરવામાં આવી છે. તે માટે ગૃહ વિભાગના નોટિફિકેશન તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડો ખાલી નથી તે વાત ખોટી છે.
 
કોરોનાના કેસ વધતા રાજકોટ, સુરત અને વડોદરામાં બેઠકો યોજાઈ હતી  રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે રાજકોટમાં રાત્રી કરફ્યુ લદાશે  સ્ટેટ લેવલના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે, સાથે જ જણાવ્યું હતું કે રાજકોટથી અમદાવાદ જતી ST બસો પણ બંધ કરવામાં આવી છે.
 
અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કર્ફ્યુ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments