Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં પહેલા નોરતે ૧૯૦ તાલુકામાં વરસાદ: સૌથી વધુ ભાણવડમાં ૮ ઈંચ

Webdunia
સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (12:55 IST)
સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલ રાતથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. આવનારા બે દિવસ ગુજરાત માટે ભારે સંકટ છે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગની ભારે વરસાદની અગાહી વચ્ચે દેવભૂમિદ્વારકાના ભાણવડમાં સૌથી વધુ ૧૯૯ મિમી એટલે કે ૮ ઇંચ વરસાદ થયો હતો, જ્યારે કલ્યાણપુરમાં ૧૪૨ મિમી અને ખંભાલીયામાં ૧૩૯ મિમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

રાજ્યના અન્ય તાલુકામાં સવારના છ થી સાંજના છ વાગ્યા સુધીમાં રાજકોટના લોધિયા તાલુકામાં ૧૧૫ મિમી, જામકંડોરણામાં ૧૦૪, ધોરાજીમાં ૬૮, ગોંડલમાં ૫૨, જેતપુરમાં ૪૭ અને કોટડાસાંગાણી, પડધરી ૪૬ મિમી, જ્યારે ઉપલેટામાં ૪૦ મિ.મી. વરસાદ વરસ્યો હતો. મોરબીમાં સવારથી મેઘમહેર યથવાત છે. જિલ્લામાં હાલમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. મોરબી જિલ્લામાં સવારના છથી સાંજના છ વાગ્યા સુધીમાં ટંકારામાં ૯૫ મિ.મી., મોરબી ૫૬, વાંકાનેરમાં ૪૩, મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢના માણાવદરમાં ૯૭ મિ.મી, કેશોદ ૬૬, માળિયામાં ૬૪, વિસાવદરમાં ૬૪, વંથલી ૫૯, ભેસાણમાં ૫૮, જૂનાગઢમાં ૫૮ મિમી, જૂનાગઢ શહેરમાં ૫૮ મિમી, માંગરોળમાં ૫૭, મેદરડામાં ૫૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જામનગરના જામજોધપુરમાં ૧૦૩ મિ.મી, જોડિયામાં ૯૨, જામનગર તાલુકામાં ૮૫, ધ્રોલમાં ૪૬, કાલાવડમાં ૪૫ મિ.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં સાયલા, તલાલા, વાડિયા, કુતિયાણા, ધ્રાંગધ્રા, વેરાવળ, થાનગઢ, પોરબંદર, હારિજ, વઢવાણ, બગસરામાં એકથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ રાજ્યના કુલ ૧૯૦ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

જિલ્લાના એકધારા અનરાધાર વરસાદના કારણે તમામ નદી નાળા છલકાયાં છે જયારે, ઓઝત અને સાંકડી નદી બે કાંઠે વહી રહી છે. સર્વત્ર ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. જૂનાગઢના જામકંડોરણાના રામપરની નદીમાં એક કાર તણાઈ હતી. જેમાં બે મહિલાના મોત નીપજ્યાં હતાં.

દરમિયાન પાટીયાળી પાસે આવેલો મોતીસર ડેમના પાંચ દરવાજા ૪૦ ડિગ્રી સુધી ખોલવામાં આવ્યા હતા. આથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવી મેંગણી ગામની નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા. ગોંડલમાં વીજળી પડવાથી પાવર ઓવરલોડ થતા એસીના શો રૂમમાં આગ ભભૂકતા બળીને ખાખ થઈ ગયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવક વધતા રાજકોટના આજી એક અને બે તેમજ ન્યારી એક અને બે ડેમ ફરીવાર ઓવરફ્લો થયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments