Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ફેબ્રુઆરીથી પ્રતાપનગર – છોટાઉદેપુર વચ્ચે રેલવે સેવા ફરી શરૂ, પૂર્ણ રૂપે અનરિઝર્વ્ડ રહેશે આ ટ્રેનો

Webdunia
શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (22:55 IST)
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિઓની સુવિધા માટે તારીખ 14 ફેબ્રુઆરી, 2022 થી આગલી સૂચના સુધી પ્રતાપનગર – છોટાઉદેપુર વચ્ચે યાત્રી ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ બંને ટ્રેનો પૂર્ણ રૂપે અનરિઝર્વ્ડ રહેશે તેમજ તમામ સ્ટેશનો પર રોકાશે.
 
વડોદરા ડિવિઝનના ડીઆરએમ અમિત ગુપ્તાએ જણાવ્યુ કે તારીખ 14 ફેબ્રુઆરી થી આગલી સૂચના સુધી ટ્રેન નંબર 09163 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર  પ્રતિદિવસ સવારે 6.30 કલાકે પ્રતાપનગર થી ઉપડી 09.00 કલાકે છોટાઉદેપુર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09164 છોટાઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર સવારે 06.20 કલાકે છોટાઉદેપુર થી ઉપડી 09.00 કલાકે પ્રતાપનગર પહોંચશે.
 
આ જ પ્રકારે ટ્રેન નંબર 09169 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર પ્રતિદિવસ સાંજે 18.25 કલાકે પ્રતાપનગર થી ઉપડી 20.55 કલાકે છોટાઉદેપુર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09170 છોટાઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર સાંજે 18.10 કલાકે છોટાઉદેપુર થી ઉપડી 20.50 કલાકે પ્રતાપનગર પહોંચશે.
 
માર્ગમાં આ બંને ટ્રેનો બંને દિશાઓમાં કેલનપુર, કુંડેલા, ભિલુપુર, થુવાવી, ડભોઈ, વદવાણા, અમલપુર, સંખેડાબહાદરપુર, છુછાપુરા, જોજવા, બોડેલી, જબુગામ, સુસકાલ, પાવી, તેજગઢ અને પુનિયાવાટ સ્ટેશનો પર રોકાશે.
 
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિઓને બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 થી સંબંધિત તમામ માનદંડ અને એસઓપીનું પાલન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments