Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારે જનતાની લાગણી સાથે રમત રમી, ખૂદ ભગવાન જગન્નાથ ભાજપથી છેતરાયા : કૉંગ્રેસ

Webdunia
બુધવાર, 24 જૂન 2020 (17:38 IST)
શહેરમાં કોરોનાની મહામારીને પગલે હાઇકોર્ટતરફથી રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જેના પગલે અષાઢી બીજના દિવસે અમદાવાદ ખાતે 142 વર્ષની પરંપરા તૂટી હતી. બીજી તરફ અમદાવાદના જગન્નાથ મંદિરના મુખ્ય મહંત દિલીપદાસજી એ મોટો ધડાકો કરતા કહ્યું છે કે, તેમની સામે રમત રમવામાં આવી છે. તેમને છેલ્લી ઘડી સુધી રથયાત્રા નીકળશે તે માટેનો ભરોસો આપવામાં આવ્યો હતો. આ મામલે હવે કૉંગ્રેસના આગેવાનોએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા સરકારે જનતાને છેતરી હોવાની લાગણી વ્યક્ત કરી છે.આ મામલે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું છે કે, "રથયાત્રાની તારીખ નક્કી હતી તો શું કામ સરકારે આગોતરો સર્વે કરી, અહેવાલ અને આયોજનની માહિતી સાથે કોર્ટમાં મંજૂરી માટે રજૂઆત ન કરી?  મહંતની જેમ સરકારે ગુજરાતની જનતાની લાગણીઓ સાથે પણ રમત રમી છે." આ મામલે પ્રતિક્રિયા આપતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ખૂદ ભગવાન ભાજપથી છેતરાયા છે. "143 વર્ષની ઐતિહાસિક પરંપરા તૂટ્યાનું સૌને અત્યંત દુઃખ છે પરંતુ, છેલ્લા 25 વર્ષથી ખાલી ભાષણો થકી જ ભોળી પ્રજાને છેતરનારી ભાજપા સરકારે હવે અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા અંગે ખુદ "'ભગવાન જગન્નાથ"'ને છેતરવાનું કામ શા માટે અને કોના ઇશારે કર્યું હશે?"

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં કુખ્યાત વ્યાજખોરો સામે GUJCTOC હેઠળ કેસ કરવામાં આવ્યો, અંજારની લેડી ડોન જેલ ભેગી

જમ્મુમાં અમિત શાહનુ મોટુ નિવેદન, બોલ્યા - જ્યા સુધી શાંતિ નહી ત્યા સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહી

જમવાનુ ન મળ્યુ તો ટ્રક ડ્રાઈવરે હોટલ પર ઉતાર્યો ગુસ્સો, રમકડાની જેમ ગાડીઓને કચડી નાખી... જુઓ Video

Train Accident - MPમાં ટ્રેન અકસ્માત, ઈન્દોર-જબલપુર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments