Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી મુદ્દે ભાજપની કોંગ્રેસના 10 થી 15 ધારાસભ્યો પર નજર

Webdunia
બુધવાર, 11 માર્ચ 2020 (16:19 IST)
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે 26 માર્ચે યોજાનારી ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 4 બેઠકની ચૂંટણીમાં હાલ ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે એક બેઠક છે. પરંતુ આ ચૂંટણીમાં ભાજપ એક બેઠક ગુમાવી શકે છે, જેથી આ બેઠક જાળવી રાખવા ભાજપ સતત પોતાની વ્યૂહરચના બદલી રહ્યો છે. જેને પગલે 2017ની રાજ્યસભા ચૂંટણી બાદ આ ચૂંટણીમાં પણ રસાકસી થવાની સાથે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ કરે તેવી શક્યતા છે, કેમ કે ભાજપ પોતાની એક બેઠક બચાવવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા પ્રયત્નો કરી શકે છે, જ્યારે કોંગ્રેસ પોતાનાં ધારાસભ્યોને બચાવવાની સાથે ભાજપના પણ અસંતુષ્ટ ધારાસભ્યો તોડવા પ્રયાસો કરી શકે છે. થોડા દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં જ કોગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવવા ખુલ્લી ઓફર કરી હતી કે, ચૂંટણી આવે છે, જેને આવવું હોય તે આવી શકે છે, આ ઉપરાંત મીડિયા સમક્ષ પણ તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યો નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રની કામગીરીથી પ્રભાવિત છે તો, તેઓ પણ ભાજપમાં આવી શકે છે.રાજ્યસભામાં ભાજપને એક બેઠક ગુમાવી પડે તેમ છે ત્યારે, ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની રણનીતિ શરૂ કરી છે. જેમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અને મંત્રી સહિતના હોદ્દા પર છે તેવા ધારાસભ્યો અને આગેવાનોને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવાની જવાબદારી સોંપી છે, જેમાં કોંગ્રેસના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 10 ધારાસભ્યોને તોડવાની કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવે તો હોદ્દા આપવાની ઓફર પણ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments