Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ પર માતાએ મોદીને પોતાના હાથે લાપસી ખવડાવી અને શુકનના રૂ.501 આપ્યા

Webdunia
મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (17:57 IST)
વડાપ્રધાન મોદી તેમના 69માં જન્મદિવસે ગુજરાત પધાર્યાં છે. તેમણે કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા મૈયાની મહાઆરતી પણ કરી હતી. ત્યાર બાદ તેમણે જનસભાને પણ સંબોધી હતી. તેઓ ગુજરાતમાં આવીને તેમની માતા હીરાબાને પણ મળ્યાં હતા. ગાંધીનગરના રાયસણ ખાતે તેમણે  હીરાબાના હાથની લાપસી ખાઈને કાંસાની થાળીમાં બપોરનું ભોજન પણ માતા સાથે લીધું છે. ત્યાર બાદ તેઓ રાજભવન પહોંચી ભાજપના પ્રદેશના નેતાઓ અને રાજ્યમંત્રી મંડળના સભ્યો સાથે બેઠક યોજશે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. આ બેઠક બાદ વડાપ્રધાન મોદી વારાણસી જવા રવાના થશે. આ પહેલા 2019ની લોકસભા ચૂંટણી સમયે મતદાન કરવા ગુજરાત આવ્યા ત્યારે પણ વડાપ્રધાન મોદી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ સમયે હિરાબાએ વડાપ્રધાનને આપેલી ખાસ ભેટ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ માતાએ મોદીને પોતાના હાથે લાપસી ખવડાવી હતી અને શુકનના રૂ.501 આપ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments