Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં મોલ મલ્ટિપ્લેક્સમાં પાર્કિગ ચાર્જ વસૂલવા હાઈકોર્ટની મંજુરી

Webdunia
બુધવાર, 17 ઑક્ટોબર 2018 (16:07 IST)
મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવા બાબતે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. આ અંગેની અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી છે. જોકે, હાઇકોર્ટે એવું પણ કહ્યું છે કે પ્રથમ એક કલાક માટે પાર્કિંગને ફ્રી રાખવું પડશે. ત્યાર બાદ જ ચાર્જ વસૂલ કરી શકાશે. એક કલાક બાદ ટુ-વ્હીલર માટે રૂ. 20 અને ફોર વ્હીલર માટે રૂ. 30 પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે. હાઇકોર્ટે ટુ-વ્હીલર અને ફોર વ્હીલર માટે મહત્તમ પાર્કિંગચાર્જ ક્રમશ: રૂ. 20 અને 30 નક્કી કર્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ પ્રતિક્રિયા આપતા મલ્ટીપ્લેક્ષ ઓનર્સ ઓસોસિએશને જણાવ્યું કે હાઇકોર્ટના આદેશ પછી તેમના ખર્ચમાં વધારો થશે. કારણ કે આદેશ પ્રમાણે હવે ડિજિટલ પાર્કિંગ વ્યવસ્થા કરવી પડશે. આ માટે વધારાનો ખર્ચ કરવો પડશે. અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે હાઇકોર્ટના આદેશ બાદ ટ્રાફિક અને દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી હતી. જે અંતર્ગત પોલીસે તમામ મોલ અને મલ્ટીપ્લેકમાં લેવામાં આવતો ચાર્જ બંધ કરાવ્યો હતો. દરમ્યાન કેટલાક મોલ- મલ્ટિપ્લેક્ષ સંચાલકો દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી હતી કે, તેઓ પાર્કિંગમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જેથી તેઓ પાર્કિંગનો ચાર્જ વસૂલી શકે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments