Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 કેન્દ્ર પર 3200 શિક્ષકોએ ધો. 10-12ની ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ કર્યું

Webdunia
શનિવાર, 18 એપ્રિલ 2020 (13:35 IST)
રાજ્યમાં ૧૬ એપ્રિલથી ધો.૧૦ અને ધો.૧૨ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, અમદાવાદમાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં જોડાનાર શિક્ષકોના પાસ તૈયાર થયા ન હોવાથી આ કામગીરીનો શુક્રવારથી પ્રારંભ થયો હતો. અમદાવાદ શહેરના ૧૨ અને અમદાવાદ ગ્રામ્યના ૧૭ મૂલ્યાંકન કેન્દ્રો પર શુક્રવાર સવારથી મૂલ્યાંકન શરૂ થયું હતું. જેમાં ૩૨૦૦  શિક્ષકો જોડાયા હોવાનું જાણવા મળે છે.

તમામ મૂલ્યાંકન કેન્દ્રો પર થર્મલગનની મદદથી શિક્ષકોનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ મૂલ્યાંકન કેન્દ્રમાં પ્રવેસ અપાયો હતો. ઉપરાંત કેન્દ્રમાં પણ સોસ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા ૨૧ માર્ચના રોજ પૂર્ણ થઈ તે પહેલા જ ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ કરી દેવાયું હતું. પરંતુ લોકડાઉનના પગલે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરવામાં આવી હતી. જોકે, ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા ૧૬ એપ્રિલથી ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. જે મુજબ રાજ્યમાં મૂલ્યાંકનની કામગીરી શરૂ થઈ હતી. પરંતુ અમદાવાદ જિલ્લામાં મૂલ્યાંકન માટે જોડાનારા શિક્ષકોના પાસ તૈયાર થયા ન હોવાથી આ કામગીરીનો શુક્રવાર સવારથી પ્રારંભ થયો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments