Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીસી નંબર વિના વાહનો વેચતા 10 ટુ વ્હિલર ડિલરને નોટિસ, પ્રથમવાર મોટી સંખ્યામાં ટીસી નંબર બ્લોક કરાયા

Webdunia
શનિવાર, 28 ઑગસ્ટ 2021 (08:52 IST)
સુભાષબ્રિજ આરટીઓએ અમદાવાદના 10 જેટલા વાહન ડીલરોના ટીસી નંબર બ્લોક કરી દીધા છે. એટલું જ નહીં આ વાહન ડીલરોને નોટિસ પણ આપી છે. ટીસી નંબર બ્લોક કરી દેવાયા હોવાથી વાહન ડીલરો વાહન વેચી શક્તા નથી. ટુ-વ્હિલરના વાહન ડીલરોના ટીસી બ્લોક કરવા પાછળનું કારણ જાણવા મળ્યા મુજબ ડીલરો ટેમ્પરરી નંબર વગર વાહનો વેચતા હતાં. આ બાબત આરટીઓના ધ્યાનમાં આવતા તપાસ કરાવી હતી.

ત્યારબાદ ટીસી નંબર બ્લોક કરી દેવાયા છે. વાહન ડીલરોના ટીસી બ્લોક કર્યાની વિગત ગાંધીનગર વાહનવ્યવહાર કમિશનર કચેરીને મોકલી આપી છે. સુભાષબ્રિજ આરટીઓ આર.એસ.દેસાઇના આવ્યા બાદ પ્રથમવાર આટલી સંખ્યામાં ટીસી નંબર બ્લોક કરાયા છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર ટીસી નંબર બ્લોક કર્યાની વિગત પ્રાથમિક તબક્કે જાહેર કરાઇ ન હતી પછી વાહન ડીલરો તરફથી વિરોધના સૂર થતાં બ્લોક કરેલા ટીસી નંબરની ફાઇલ ગાંધીનગર મોકલી આપી હતી. હવે નોટીસનો જવાબ મેળવીને નિયમ મુજબ કાર્યવાહી થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments