Webdunia - Bharat's app for daily news and videos

Install App

હડતાળ પર જનારા GUVNLના કર્મીઓના પ્રશ્નોનો સુખદ અંત

Webdunia
મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (09:33 IST)
રાજ્યના ઉર્જાવિભાગ હસ્તકની GUVNL કંપનીના અધિકારી કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે હડતાળ પર જવા અંગે નોટીસ અપાઇ હતી. આ સંદર્ભે તેમના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવતા હડતાળપર જવાની નોટીસ પરત ખેંચી છે. સોમવારે મોડી સાંજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખ ગોરધનભાઇ ઝડફીયા, ભરત પંડયા, ભરતભાઇ ડાંગર અને ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આંદોલનની નોટીસ સંદર્ભે સારા વાતાવરણમાં નિખાલસતાપૂર્વક ચર્ચા વિચારણા બાદ  GUVNL કંપનીના કર્મીઓએ હડતાળ પર જવાની નોટીસ પરત ખેંચી છે.
 
GUVNL કંપનીના પ્રતિનિધિએ તા.૧/૧/૨૦૨૧ના પરિપત્ર સંદર્ભે રાજ્ય સરકારનો આભાર માનીને જણાવ્યુ છે કે, અમારી માંગણી અનુસાર રાજ્ય સરકારે તા.૧/૧/૧૬ થી જુના સેટલમેન્ટ તથા અન્ય ભથ્થાઓના એરિયર્સ સહિતની માંગણીઓ ચુકવવા માટે મંજૂરી આપી છે. 
 
જે ચુકવણા વીજ કંપનીઓ દ્વારા ૧૦ હપ્તામાં ચૂકવી અપાશે. આ માટે સૌએ સરકારનો હૃદયપૂર્વક આભાર માનીને આંદોલનની નોટીસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments