Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ૩૧ જેટલી ખાનગી હોસ્પિટલો ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરાશે

Webdunia
ગુરુવાર, 9 એપ્રિલ 2020 (11:42 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની સઘન સારવાર સુશ્રુષા માટે રાજ્યના ર૬ જિલ્લાઓમાં ૩૧ જેટલી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 
 
આ હોસ્પિટલો એપીડેમિક એકટ ૧૮૯૭ અને ધી ગુજરાત એપીડેમિક કોવિડ-19 રેગ્યુલેશન ર૦ર૦ અંતર્ગત કાર્યરત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય મત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો પ્રચાર માધ્યમોને આપી હતી.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં આવી ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલોના રોજબરોજના સંચાલન, કામકાજ અને નિયંત્રણ દેખરેખ માટે એક મેનેજમેન્ટ કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે. 
 
આવી ડેઝિગ્નેટેડ કોવિડ-19 જાહેર થયેલી આ ખાનગી હોસ્પિટલોના આરોગ્ય, તબીબી, પેરામેડિકલ સ્ટાફને જવાબદારીઓ પણ સોંપી દેવાઇ છે. કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકારે જિલ્લા કલેકટરોને તેમના જિલ્લામાં ઉપલબ્ધ કોઇ પણ ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ આ રોગ નિયંત્રણ હેતુસર લેવા માટેના સત્તાધિકારો પણ આપ્યા છે.રાજ્યમાં હાલની સ્થિતીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ રર૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત છે. 
 
અન્ય ર૮ જિલ્લામાં કુલ ૩ર૦૦ બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા ICUફેસેલીટીઝ સાથેની હોસ્પિટલો ખૂબ જ નજીકના ભવિષ્યમાં શરૂ થવામાં છે. રાજ્ય મંત્રીમંડળે ર૬ જિલ્લામાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધવાની છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 કોરોના વાયરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯૪૬૪ બેડની ક્ષમતાવાળી હોસ્પિટલો સાથે ગુજરાત આ મહામારીના પડકારને પહોચી વળવા સજ્જ થયું છે.
 
જે ર૬ જિલ્લાઓમાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે તેની યાદી પ્રમાણે અરવ્વલી-શ્રી કે.કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડલ (શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ વાત્રક (૩૧૨ બેડ), સાબરકાંઠા- મેડીસ્ટાર હોસ્પિટલ હિંમતનગર (૧૦૦ બેડ),  બનાસકાંઠા-ગાંધી લિંકન હોસ્પિટલ ડીસા (૧૦૦ બેડ), પાટણ-પાટણ જનતા હોસ્પિટલ (૨૨૫ બેડ), મહેસાણા-સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ (૩૦૦ બેડ), આણંદ-ઝાયડસ હોસ્પિટલ (૧૧૦ બેડ), ખેડા-ડૉ. એન. ડી. દેસાઇ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ નડિયાદ (૩૩૩ બેડ), મહિસાગર-કે.એમ.જી. જનરલ હોસ્પિટલ, બાલાસિનોર (૧૦૦ બેડ), પંચમહાલ-શ્રી નારાયણ આઇ હોસ્પિટલ તાજપુરા-હાલોલ (૧૦૦ બેડ), દાહોદ-સમીર ઓર્થોપેડીક હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર (૧૦૦ બેડ), છોટાઉદેપુર- મેડિટોપ લાઇફકેર હોસ્પિટલ (૧૦૦ બેડ) અને ધોકાલિયા પબ્લિક હોસ્પિટલ બોડેલી (૧૦૦ બેડ), નર્મદા-આર્યુવેદિક હોસ્પિટલ રાજપીપળા  (૧૦૦ બેડ), ભરૂચ-જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર (૧૦૦ બેડ) અને તાપી-કાલીદાસ હોસ્પિટલ (વ્યારા-૧૦૦ બેડ), નવસારી-યાસ્ફીન કાર્ડિયાક હોસ્પિટલ (૧૧૦ બેડ) અને ઉદીત હોસ્પિટલ એન્ડ આઇસીયુ (વાંસદા (૧૦૦ બેડ), વલસાડ-શ્રેયસ મેડિકેર હોસ્પિટલ વાપી (૧૦૦ બેડ), અમરેલી-નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ હોસ્પિટલ(૧૫૦ બેડ), બોટાદ-વ્હાઇટ હાઉસ, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર (૧૦૦ બેડ), જામનગર-આર્મી હોસ્પિટલ (૧૦૦ બેડ), દેવભૂમિ દ્વારકા-સાકેત હોસ્પિટલ જામખંભાળિયા (૧૦૦ બેડ), ગીરસોમનાથ-આદિત્યા બિરલા હોસ્પિટલ વેરાવલ (૧૦૦ બેડ), અને અંબુજા હોસ્પિટલ કોડીનાર (૧૦૦ બેડ), જુનાગઢ-કલ્પ હોસ્પિટલ (૨૦૦ બેડ), પોરબંદર-શ્રી મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલ (૧૨૦ બેડ), મોરબી-ક્રિષ્ણા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (૧૦૨ બેડ), કચ્છ-સ્ટેર્લીંગ રામક્રિષ્ણા સ્પેશ્યાલીટી હોસ્પિટલ ગાંધીધામ (૧૦૨ બેડ), હરિઓમ હોસ્પિટલ ગાંધીધામ (૧૦૦ બેડ), વાયેબલ હોસ્પિટલ ભૂજ (૧૦૦ બેડ), ભાવનગર-એચ.સી.જી હોસ્પિટલ (૧૦૦ બેડ) એમ કુલ ૪૦૬૪ની બેડ ક્ષમતા ધરાવતી હોસ્પિટલો કાર્યરત થઇ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments