Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદેશ મંત્રી જયશંકર અને સાંસદ જુગલ ઠાકોરની રાજ્યસભામાં જીતને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

Webdunia
મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (15:16 IST)
વિદેશ મંત્રી એસ જયશંકર અને રાજ્યસભાના સાંસદ જુગલ ઠાકોરને રાજ્યસભાની ચૂંટણીમાં જીતને મામલે રાહત મળી છે. બન્ને નેતાઓની રાજ્યસભા ચૂંટણીમાં જીતને પડકારતી અરજીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. વિપક્ષ કોંગ્રેસે વિદેશ મંત્રી અને રાજ્યસભાના સાંસદની જીતને પડકારતી કુલ ત્રણ અરજી હાઈકોર્ટમાં કરી હતી જેને ગુજરાત હાઈકોર્ટે આજરોજ ફગાવી દીધી છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને જુગલ ઠાકોર રાજ્યસભાની પેટા ચૂંટણી ગુજરાતમાંથી લડ્યા હતા અને તેમની સામે કોંગ્રેસના નેતા ગૌરવ પંડ્યા તેમજ ડો. ચંદ્રિકા ચુડાસમા હતા. જો કે ભાજપના બહુમતિ ધરાવતી ગુજરાત વિધાનસભામાં બન્ને સાંસદોની જીત નક્કી હતી. લોકસભા ચૂંટણી બાદ અમિત શાહ તેમજ સ્મૃતિ ઈરાનીનો વિજય થતા તેમણે ગુજરાતના રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપતા આ બે બેઠકો ખાલી પડી હતી. રાજ્યસભાની બે બેઠક પરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું અને ત્યારબાદ બન્નેએ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ પહોંચી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યસભાની પેટાચૂંટણીમાં એસ જયશંકર અને જુગલ ઠાકોરની જીતને પડકારતી કુલ ત્રણ ઈલેક્શન પીટિશન દાખલ કરવામાં આવી હતી. કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ગૌરવ પંડ્યાએ પણ ઈલેક્શન પીટિશન દાખલ કરી હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments