Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલ કાઢવા બાબતે ઠપકો આપતા બે ભાઇઓએ યુવકને જીવતો સળગાવ્યો

Webdunia
સોમવાર, 26 ઑગસ્ટ 2019 (09:19 IST)
અમદાવાદ શહેરના ઇસનપુરમાં બે ભાઇઓએ જ એક યુવકને કેરોસીન છાંટીને જીવતો સળગાવી દેવાની ચકચારી ઘટના બની હતી. યુવકે બંને ભાઇઓને બાઇકમાંથી પેટ્રોલ કાઢવા બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા ભાઇઓએ યુવકને જીવતો સળગાવી દીધો હતો. ગંભીર હાલતમાં યુવકને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસે બે સગા ભાઇ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
 
મળતી માહિતી પ્રમાણે ઇસનપુર ઉજાલા સોસાયટીમાં રહેતો 20 વર્ષીય પંકજ પાટીલ નામનો યુવાન શનિવારે રાતે તેની સોસાયટીની બહાર પાર્ક કરેલી બાઈક પાસે ગયો હતો. બાઈક ઉપર બાજુની નિર્મલકુંજ સોસાયટીમાં રહેતા પ્રદીપ અમરસિંગ કોરી અમે નરેશ અમરસિંગ કોરી નામના બે ભાઈ બેઠા હતા અને પેટ્રોલ કાઢતા હતા. બાઈકમાંથી પેટ્રોલ કેમ કાઢ્યું તેમ કહેતા બંને ભાઈઓએ બાજુની બાઈકમાંથી પેટ્રોલ કાઢવા કહ્યું હતું.
 
મળતી માહિતી અનુસાર પંકજે પ્રદીપને લાફો મારતા બને ભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. પંકજના પરિવારના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. આ દરમિયાન પ્રદીપ કેરોસીનનું ડબલુ લઈ આવ્યો હતો અને પંકજ પર છાંટી દિવાસળી ચાંપી દીધી હતી.
 
 આગથી પંકજ સળગવા લાગતા લોકોએ માટી અને ધાબળાથી આગ બુઝાવી 108માં સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પંકજનું 85 ટકા શરીર દાઝી ગયું હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું. ઇસનપુર પોલીસે બંને ભાઈઓને ઝડપવા તજવીજ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments