Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત: ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા મળ્યું મોત, યુવાનની કરપીણ હત્યા

Webdunia
શનિવાર, 17 ઑગસ્ટ 2019 (11:22 IST)
: સુરતમાં બાકી રૂપિયાની ઉઘરાણીને લઇને યુવકની હત્યા કારઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતના નવસારી બજાર નજીક બે દિવસ પહેલા ઉઘરાણી કરવા ગયેલા યુવક પર મિત્રો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના નવસારી બજાર નજીક આવેલા ગોપી તળાવ પાસે રહેતો શાહિદ ખાન શટર રિપેરિંગનું કામ કરતો હતો. ત્યારે તેણે છોટુ નામના એક મિત્રને ઉછીના રૂપિયા આપ્યા હતા. જો કે, ઉછીના રૂપિયા લીધા બાદ છોટુ રૂપિયા ચુકવતો ન હતો. તો બીજી તરફ શાહિદ પણ ઉછીના આપેલા રૂપિયા પરત મેળવવા માટે ઉઘરાણી શરૂ કરી હતી. ત્યારે વારંવાર ઉઘરાણી કરવામાં આવતા છોટુએ રૂપિયા આપવાનું કહી શાહિદને બોલાવ્યો હતો.
 
શાહીદને બોલાવ્યા બાદ છોટુ તેના મિત્રોને સાથે લઇને તેને મળવા પહોંચી ગયો હતો. જ્યાં છોટુએ તેના મિત્રો સાથે મળી શાહિદ પર છરી વળે હુમલો કર્યો હતો. જો કે, આ હુમલામાં ઘાયલ થયેલા શાહિદને તાત્કાલીક ધોરણે સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આજ રોજ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ સલાબતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments