Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્પેશિયલ અને સુપર સ્પેશૅલિટીના ડોક્ટરો જલ્દીથી મળતા નથી: ગૃહમાં ખુદ આરોગ્ય મંત્રીની કબૂલાત

Webdunia
શુક્રવાર, 12 જુલાઈ 2019 (20:20 IST)

પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમ માડમે એક પેટા પ્રશ્ન પૂછ્યો હતો તેઓએ ગૃહમાં આક્રોશ સાથે જણાવ્યું કે અમારે ત્યાં બાળકોના સર્જન નથી જેથી ઘણી હેરાનગતિ ભોગવવી પડે છે તો આવા ડોક્ટરો નિમણૂક જલ્દી થાય તે માટે સરકાર કાર્યવાહી કરે.

જવાબ આપવા ઉપર થયેલા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે નિખાલસતાથી કબૂલ કે તમારી વાત સાચી છે. એમબીબીએસ ડોક્ટરો જલદીથી મળી જાય છે પરંતુ સ્પેશિયલ કે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જલ્દીથી મળતા નથી છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં આવી તકલીફ છે અને આ સમસ્યા માત્ર ગુજરાતમાં જ છે એવું નથી સમગ્ર દેશમાં આવા સર્જનોની અછત છે.

ભૂતકાળમાં આ વિધાન સભામાં અમે જ્યારે વિરોધ પક્ષમાં બેસતા હતા ત્યારે પણ અમે આવો પ્રશ્ન પૂછતા હતા અને અમને એ સમયના આરોગ્યમંત્રીએ આવો જવાબ આપ્યો હતો કે હું તમને આપી રહ્યો છું આમ છતાં અમે જે હોસ્પિટલમાં સર્જનો નથી ત્યાં જલદીથી તેમની નિમણૂક થાય તે માટેના પ્રયાસો ચોક્કસથી કરીશું.

દરમિયાનના કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે કહ્યું છે કે સરકારી અને જનરલ હોસ્પિટલમાં 4644 જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 3916 તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 3495 જગ્યાઓ ખાલી છે ભરાયેલી જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ વર્ગ-3 અને વર્ગ-4 ની કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી ભરાયેલી છે જ્યારે વર્ગ-1 અને વર્ગ-૨ તથા વર્ગ-૩ની 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments