Webdunia - Bharat's app for daily news and videos

Install App

નર્મદાની કેનાલોના મુદ્દે હોબાળો: બંને પક્ષના MLA વચ્ચે યુદ્ધ જેવો માહોલ

Webdunia
શનિવાર, 13 જુલાઈ 2019 (11:11 IST)
ગુજરાત વિધાનસભામાં આજે નર્મદા યોજનાની વિવિધ કેનાલનો મુદ્દે ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે હોબાળો મચી ગયો હતો કારણકે પ્રશ્નોત્તરી દરમિયાન બે નંબરનો પ્રશ્ન સરદાર સરોવર નર્મદા યોજનાની વિવિધ કેનાલોના બાકી રહેલા કામના સંદર્ભમાં હતો.
 
કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ઊભા થઈને ઉભી રીતે પૂછ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તમે કેનાલોનું કામ બાકી રાખ્યું છે તે કરાતુ નથી તો આ કામ ક્યારે થશે તે જણાવો.
 
આવું સાંભળીને નીતિન પટેલ ઉભા થઈ ગયા હતા. તેઓએ ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નર્મદા યોજનામાં કેટલું મોડું થયું હતું તે સંદર્ભની વાત શરૂ કરી હતી. જે સાંભળીને કોંગ્રેસના બળદેવજી ઠાકોર ગુસ્સામાં આવી ગયા હતા અને ઉભા થઈને નીતિન પટેલની સામે હાથ કરી કશું બોલતા હતા. આથી નાયબ મુખ્યમંત્રી વધુ ભડક્યા હતા.
 
નીતિન પટેલ ગુસ્સામાં કહ્યું કે તમે બેસી જાઓ તમને બોલવાનો કોઈ જ અધિકાર નથી. તમે નેતાગીરી ન કરશો આ વિધાનસભા છે અહીં તમારા જૂઠાણાં અમારે સાંભળવાના? આવ સાંભળ્યા બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા હતા અને હોહા કરી મૂકી હતી.
 
બીજી બાજુ ભાજપના મોટાભાગના ધારાસભ્યો પણ પોતાની જગ્યા પરથી ઊભા થઈ ગયા હતા અને બંને ધારાસભ્ય વચ્ચે તું તું મેં મેં થઈ હતી તેમજ એકબીજા પર આક્ષેપો શરૂ કર્યા હતા.
 
ત્યારબાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ મામલો શાંત પાડયો હતો અને સૌ કોઇને વિનંતીથી બેસાડ્યા હતા. ત્યારબાદ નીતિન પટેલ કેનાલના સંદર્ભમાં જવાબ આપ્યો હતો તેમજ કહ્યું હતું કે પરેશભાઈ ધાનાણીની વાત સાચી છે.
 
નર્મદા ડેમમાં અને યોજનામાં કોઈ રાજકારણ આવવું જોઈએ નહીં. આ યોજના કોઈ રાજકીય પક્ષની કે કોઈની નથી પરંતુ સમગ્ર ગુજરાતની છે. જ્યાં પણ જમીન સંપાદનનો પ્રશ્ન છે તેવા સ્થળે તમામ ધારાસભ્યોએ લઈને અનેક લોકોને સમજાવી જોઈએ આમ અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ઈન્દોરમાં એક્ટિવા પર સવાર બદમાશોએ કારમાં મહિલાની છેડતી કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

આગળનો લેખ
Show comments