Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલા કોન્સ્ટેબલે બાથરૂમમાં ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા

Webdunia
શુક્રવાર, 21 જૂન 2019 (16:09 IST)
કાલુપુર પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ પણ મળી છે, પરંતુ આત્મહત્યાના કારણનો ખુલાસો થયો નથી. કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ પોતાના ચાંદખેડા સ્થિત ઘરના બાથરૂમમાં ગળે ફાંસો ખાધો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 
જોકે, ઘટના સ્થળેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં વડનગરના શખ્સોનો ઉલ્લેખ છે. કોન્સ્ટેબલ ફાલ્ગુનીએ મરતાં પહેલાં લખેલી ચિટ્ઠીમાં કેટલાક લોકો તેની પજવણી કરતા હોવાનો ઉલ્લેખ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ તેણે લખ્યું હતું કે પોલીસની નોકરી હોવા છતાં કશુ કરી શકે તેમ નથી તેનું દુ:ખ છે. મૂળ વડનગરની રહેવાસી ફાલ્ગુની પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થઈ હોવાના અહેવાલો છે. જોકે, આત્મહત્યાનું ખરૂ કારણ તો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે.


હાલમાં મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીની આત્મહત્યાના મુદ્દે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક કોન્સ્ટેબલનો મૃતદહે બાથરૂમમાંથી મળી આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments