Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિકે ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યાં, સરકાર મોબાઇલ નંબરને આધારકાર્ડથી લિંક કરાવવા બનાવી હતી?

Webdunia
સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (17:05 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ અને મોદી સરકાર પર નિશાન તાકતા ટ્વિટ કર્યું છે કે શું આપણે ભાજપની સરકાર મોબાઇલ નંબરને આધારકાર્ડથી લિંક કરાવવા બનાવી હતી?હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે કોઈ કૌભાંડી જેલ ગયો નથી! કોઈની પાસેથી કાળુ નાણું ન મળ્યું! ગંગાની સફાઇ ન થઇ! રામ મંદિર ન બન્યુ! કલમ 370 હટી નહીં! તો શું આપણે લોકોએ આ સરકાર માત્ર મોબાઇલ નંબરને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે બનાવી? દેશના જવાન શહીદ થઇ રહ્યાં છે અને દેશના વડાપ્રધાન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ઘણી બધી ફરિયાદ છે પરંતુ દરેક ફરિયાદનો ગુનેગાર સાહેબનો ભક્ત છે.હાર્દિક પટેલે રમતગમત ક્ષેત્રમાં ભેદભાવ થઇ રહ્યો છે તેવો આક્ષેપ કરતા કહ્યું કે આંખે જોયા વિના ભારતની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો તો કંઇ ન મળ્યુ અને આંખેવાળી (અંડર 19 ક્રિકેટ) ટીમે વર્લ્ડ કપ જીત્યો તો કરોડો કમાયા. હાર્દિક પટેલે ગઇકાલે પણ સરકાર પર નિશાન તાકતા ટ્વિટ કર્યું હતુ કે બજેટમાં જે યોજના છે તેનો લાભ 2022 સુધી અમલી થઇ જશે પરંતુ નેતાઓના પગાર હાલથી વધી ગયા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments