Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપની ચૂંટણી પહેલાની લોલીપોપ? સવર્ણોને ઓબીસીમાં સમાવવાની પ્રારંભિક તૈયારીઓ શરૂ

Webdunia
શુક્રવાર, 26 મે 2017 (15:11 IST)
ગુજરાતમાં પાટીદાર સમાજ છેલ્લા કેટલાક સમયથી ઓબીસીમાં સમાવવાની માગણી સાથે આંદોલન કરી રહ્યું છે. તેમ જ અન્ય સમાજો પણ ઓબીસીમાં સમાવવાની માગણી કરી રહ્યાં છે. ત્યારે સવર્ણોને ઓબીસીમાં સમાવવા માટે રાજ્યમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિનઅનામત વર્ગની જ્ઞાતિઓ દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી આધારે ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની યાદીમાં સમાવવા માટે જસ્ટિસ સુજ્ઞાબહેન ભટ્ટ પંચે ડોર ટુ ડોર સર્વેક્ષણ કરવા એજન્સીઓની શોધ શરૂ કરી દીધી છે.

આ જ્ઞાતિઓમાં પાટીદાર સમાજના વિવિધ જૂથો દ્વારા કરાયેલી અરજીઓનો પણ સમાવેશ કરાયો હોવાની વિગતો મળી છે. ગાંધીનગર ખાતે પછાત વર્ગોના પંચ સચિવે જાહેરાત આપી તેમને મળેલી જ્ઞાતિઓ અને તેના જૂથ તથા કુટોં તેમ જ તેના સભ્યોની વિગતોનો અભ્યાસ કરવા આ ક્ષેત્રની નિષ્ણાત સંસ્થાઓ પાસેથી આવેદનો મંગાવ્યા છે. જેમાં આપેલી વિગતો મુજબ અત્યાર સુધીમાં પંચને ૨૮ જેટલી જ્ઞાતિઓ અને જૂથની ૧.૫૦ લાખ વસ્તી ધરાવતા કુટુંબોની વિગતો મળી છે. સુપ્રીમ કોર્ટની સૂચનાઓ મુજબ આવા કુટુંબોના પત્રકો તૈયાર કરીને તેમના વસવાટના વિસ્તારોમાં જઈને બધા જ કુટુંબોના ઘરે ફરીને સર્વેનું કામ કરવું. અન્ય પછાત વર્ગો માટેના પંચ પાસે આ સર્વેક્ષણ માટેની વ્યવસ્થા જ ન હોઈ સચિવે તેના માટે સર્વેના કાર્યો સાથે જોડાયેલી એજન્સીઓને કાર્ય સોપવાનું નક્કી કર્યું છે. ભારત સરકારે રાષ્ટ્રીય ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપ્યો છે. આથી, નવી જ્ઞાતિઓને ઉમેરવા કે હયાતને કાઢવાની પ્રક્રિયા માત્ર કેન્દ્રીય ઓબીસી આયોગ જ કરી શકશે. જેથી, રાજ્યના ઓબીસી પંચને માત્ર સર્વે કરી ભલામણ કરવા સુધીનો જ અધિકાર છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments