Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં વધેલી ગુનાખોરી મુદ્દે વિધાનસભામાં પડઘા પડ્યાં, જાણો ગુનાખોરીના આંકડાઓ

Webdunia
સોમવાર, 2 માર્ચ 2020 (14:30 IST)
ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલી ગુનાખોરીનો પડઘો આજે વિધાનસભામાં પડ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અનેક પ્રશ્નો પૂછીને સરકારને ભીંસમાં મુકવાનો પ્રયાસ કર્યો હતો. ગૃહમંત્રીએ વિધાનસભામાં વિવિધ પ્રશ્નોના આપેલા જવાબો મુજબ, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 2034 હત્યા, 2720 બળાત્કાર, 5897 અપહરણ, 3305 રાયોટિંગ, 14702 આત્મહત્યા, 29298 આકસ્મિક મૃત્યુ, 440081 અપમૃત્યુના કેસ નોંધાયા છે. આ તમામ બનાવો મળીને કુલ 88081 નાગરિકોએ અકુદરતી રીતે જીવન ટૂંકાવ્યું છે. આમ રાજ્યમાં દરરોજ 120 કરતા વધુ નાગરિકો, યુવાન-યુવતીઓ આત્મહત્યા-અકુદરતી રીતે મૃત્યુ પામે છે. રાજ્યમાં બે વર્ષમાં 14702 આત્મહત્યાના બનાવો નોંધાયા છે એટલે કે, દરરોજ 20 નાગરિકોએ અકુદરતી રીતે જીવન ટૂંકાવ્યું છે. જ્યારે 2034 હત્યાના બનાવો બન્યા છે એટલે કે દરરોજ 2થી 3 હત્યાઓ થઈ રહી છે, તેમજ 2720 બળાત્કારના બનાવો બન્યા છે એટલે કે દરરોજ 3-4 રેપના બનાવો બની રહ્યાં છે. રાયોટિંગની વાત કરીએ તો બે વર્ષમાં 3305 રાયોટિંગના બનાવો બન્યા છે એટલે કે દરરોજ 4-5 રાયોટિંગના કેસ નોંધાયા છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments