Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં નવો મોટર વિહિકલ એક્ટ લાગુ થતા લોકોમાં ભારે ફફડાટ

Webdunia
ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (12:28 IST)
ગુજરાતમાં નવો મોટર વિહિકલ એક્ટ લાગુ થયા પછી લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. વાહનોનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઈન્શોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાયસન્સ અને પરમિટ સર્ટિફિકેટ તાત્કાલિક ન બતાવવા પર તોતિંગ દંડના સમાચાર મીડિયામાં ખૂબ આવી રહ્યા છે. જોકે સેન્ટર મોટર વેહિકલ રૂલ્સ પ્રમાણે જો તમે એ ડોક્યુમેન્ટ્સ તરત નહીં બતાવશો તો એ ગુનો ગણાતો નથી.

સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ વિનય કુમાર ગર્ગ અને એડવોકેટ રોહિત શ્રીવાસ્તવે આ સંદર્ભે કહ્યું છે કે, સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ્સના નિયમ 139માં એ જોગવાઈ છે કે, વાહનચાલકને ઉપરોક્ત દસ્તાવેજો રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જે અંગેની વાત લખવામાં આવી છે. આ કારણે ઉપર જણાવ્યા મુજબનું એક પણ ડોક્યુમેન્ટ વાહનચાલક પાસે નહીં હોય તો ટ્રાફિક પોલીસ કે RTO અધિકારી તાત્કાલિક અસરથી વાહનનું ચલણ ફાડી શકશે નહીં. બલ્કે વાહનચાહક 15 દિવસની અંદર તેના દસ્તાવેજ રજૂ કરી શકશે.

એડવોકેટ શ્રીવાસ્તવે એમ પણ કહ્યું છે કે મોટર વેહિકલ એક્ટ 2019ની કલમ 158 મુજબ એક્સિડન્ટ થવા પર કે કોઈક વિશેષ મામલામાં પણ વાહનચાલકને તેના જરૂરી દસ્તાવેજ બતાવવાનો સમય 7 દિવસનો અપાયો છે. બીજી તરફ ટ્રાફિકના કાયદાના જાણકાર લૉ પ્રોફેસર ડૉ. રાજેશ દુબેનું કહેવું છે કે જો ટ્રાફિક પોલીસ RC બુક, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈન્શોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ અને પરમિટ સર્ટિફિકેટ તાત્કાલિક ન બતાવી શકવા પર દંડ વસૂલવાની જિદ્દ કરે છે તો વાહનચાલક તેનો પ્રતિકાર કરી શકે છે.

આ તો ઠીક જો ટ્રાફિક પોલીસ કે RTO અધિકારી વાહનચાલકનું ચલણ ફાડે છે અને વાહનચાલકને એમ લાગે કે તેનું ચલણ ખોટી રીતે ફાડવામાં આવ્યું છે તો વાહનચાલકે ચલણ ભરવું જ એવું જરૂરી નથી. એ કંઈ કોર્ટનો આદેશ નથી. આથી વાહનચાહક કોર્ટમાં આ નિર્ણયને પડકારી શકે છે. જો કોર્ટને એમ લાગશે કે વાહનચાલકને પંદર દિવસનો સમય નથી અપાયો તો કોર્ટ એ દંડ માફ કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments