Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું, બદલાઇ ગયું રાજ્યસભાની ચૂંટણીનું ગણિત

Webdunia
શુક્રવાર, 5 જૂન 2020 (14:57 IST)
રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. મોરબી સીટ પરથી પાર્ટીના ધારાસભ્ય બ્રિજેશ મિર્ઝાએ શુક્રવારે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેની જાણકારી આપી. ગઇકાલે જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. માર્ચથી અત્યાર સુધી પાર્ટીના 8 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે. ગુજરાતમાં 19 જૂનના રોજ વિધાનસભાની ચાર સીટો માટે મતદાન થવાનું છે. 
 
ગુજરતમાં રાજ્યસભાની 5 સીટો પર ચૂંટણી થવાની છે. ભાજપના ત્રણ ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસના બે ઉમેદવાર મેદાનમાં છે. ભાજપે અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને નરહરિ અમીનને જ્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરત સિંહ સોલંકીને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યાછે. 182 સીટોવાળી વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 103 છે. હવે કોંગ્રેસના ઘારાસભ્યોની સંખ્યા ઘટીને 65 રહી ગઇ છે. વિધાનસભાની 10 સીટો ખાલી છે.  
 
તાજેતરમાં 8 ધારાસભ્યોએ પાર્ટી છોડતાં કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. પાર્ટીના બે ઉમેદવારોની જીત મુશ્કેલ છે. કોંગ્રેસ હવે પોતાના ધારાસભ્યોના લીધે અત્યારે એક જ સીટ પ્રાપ્ત કરી શકે એવું લાગી રહ્યું છે. એટલે કે શક્તિ સિંહ અને ભરત સિંહમાંથી કોઇ એક જ રાજ્યસભામાં પહોંચી શકશે. ભાજપની વાત કરીએ તો અત્યાર સુધીના ગણિત અનુસાર તેને ફક્ત બે સીટો જ જીત મળી શકતી હતી પરંતુ કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે ત્રીજી સીટ પણ તેમનો કબજો થતો જોવા મળી રહ્યો છે. 
 
આ પહેલાં ગુરૂવારે બે કોંગ્રેસી ધારાસભ્ય અક્ષય પટેલ અને જીતુભાઇ ચૌધરીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. અક્ષય પટેલ વડોદરાની કરજણ સીટ પરથી ધારાસભ્ય છે જ્યારે જીતુભાઇ ચૌધરી વલસાડની કપરાડા સીટ પરથી જીત્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments