Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામ મંદિરની બાધા પુરી થતાં 29 વર્ષ બાદ ગુજરાતના આ મંત્રીએ ખાધી મિઠાઇ

Webdunia
સોમવાર, 11 નવેમ્બર 2019 (10:38 IST)
ગુજરાત સરકારમાં મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ 29 વર્ષ પહેલાં બાધા રાખી હતી કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરનો માર્ગ ખુશશે ત્યારબાદ જ તે મિઠાઇ ખાશે. અને હવે સુપ્રીમ કોર્ટનો આ અંગે ઐતિહાસિક ચુકાદો આવ્યા બાદ રવિવારે ભૂપેંદ્ર સિંહ ચુડાસમાએ 92 વર્ષીય ઓતાની માતા હાથે મિઠાઇનો ટુકડો ખાધો હતો. 
સોશિયમ મીડિયા પર પોતાનો ફોટો પોસ્ટ કરતાં ભૂપેંદ્રસિંહ ચુડાસમાએ લખ્યું કે શુક્રવારે રામ જન્મભૂમિ મંદિર સંબંધિત હજારો વર્ષથી ચાલી રહેલા વિવાદનો ઐતિહાસિક ચુકાદો આવી ગયો છે. લાલકૃષ્ણ અડવાણીજીની યાત્રા વખતે મિઠાઇ ન ખાવાનો સંકલ્પ કર્યો હતો, તે માનતા પુરી થઇ ગઇ છે. આજે મારી 92 વર્ષીય માતા કમલાબાના હાથે 29 વર્ષ બાદ મિઠાઇ ખાઇ અને આર્શિવાદ લીધા. 
 
ભૂપેંદ્વ સિંહ ટ્વિટ કરીને જણાવ્યું કે શ્રીરામ મંદિર જગ્યાના વિવાદ અંગે નીચેથી સુપ્રીમ કોર્ટ સુધી તમામ કોર્ટોમાં કેસો ચાલ્યા. હિન્દુ ધર્મના માનવા પ્રમાણે આ જગ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે,એ વાતને આજે નામદાર સુપ્રીમકોર્ટે સમર્થન આપ્યું છે.નામદાર 5 ન્યાયાધીશોએ પણ એકમતીથી ચુકાદો આપીને દેશનું ગૌરવ વધાર્યું છે.
આ અંગે છેલ્લા 30-32 વર્ષ પહેલાનો સમય જોઇએ તો 1989માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં મંદિર બાંધવા જરૂરી રામશીલા ગામેગામથી પૂજન કરીને એકત્ર કરવા માટેનું જનજાગૃતિ અભિયાન શરૂ થયું હતું. ત્યારબાદ 1990માં લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથ મંદિરની પૂજા કરીને રામ રથયાત્રાની શરૂઆત કરી હતી, જે યાત્રા સમગ્ર દેશમાં ફરી હતી. આ યાત્રા શરૂ થઇ અને તરત જ મેં મનોમન સંકલ્પ કર્યો કે અયોધ્યામાં રામ મંદિર બનશે પછી હું મીઠાઇ ખાઇશ. આ 29 વર્ષ દરમિયાન પિતાજીના શ્રાદ્ધમાં પણ કે કોઇ પ્રસંગમાં મિઠાઇ ખાધી નથી. મારો સંકલ્પ પુરો થયાનો મને અનહદ આનંદ છે. મેં 29 વર્ષ દરમિયાન આ અંગે ક્યાંય પણ પ્રચાર કે પ્રસિદ્ધ પણ કર્યા નથી. 
 
ગઇકાલના રામ જન્મભૂમિ મંદિર અંગેના સેંકડો વર્ષોથી ચાલતા વિવાદનો ઐતિહાસિક અને સુખદ ચુકાદો આવ્યો છે.અડવાણીજીની યાત્રા વખતથી મેં લીધેલી બાધા(મીઠાઈ ન ખાવાનો સંકલ્પ) પૂર્ણ થઇ. આજરોજ મારા પૂજ્ય માતૃશ્રી 92 વર્ષના કમળાબાના હસ્તે 29 વર્ષ બાદ મિઠાઈ ખાધી અને આશીર્વાદ મેળવ્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments