Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજસ્થાનમાં ભારતીય વાયુસેનાનુ મિગ 21 ક્રેશ, જૈસલમેરમાં ભારત-પાક સીમાની પાસે થઈ દુર્ઘટના, પાયલોટ શહીદ

Webdunia
શનિવાર, 25 ડિસેમ્બર 2021 (00:18 IST)
રાજસ્થાનના જેસલમેર પાસે ભારતીય સેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે થયો હતો. આ અકસ્માતમાં વિમાન ઉડાવી રહેલા વિંગ કમાન્ડર હર્ષિત સિન્હા શહીદ થયા હતા. મોડી રાત્રે ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. ભારતીય વાયુસેનાએ ક્રેશની તપાસના આદેશ આપ્યા છે.

<

With deep sorrow, IAF conveys the sad demise of Wing Commander Harshit Sinha in the flying accident this evening and stands firmly with the family of the braveheart.

— Indian Air Force (@IAF_MCC) December 24, 2021 >
 
નિયમિત ઉડાન ભરી રહ્યુ હતુ વિમાન 
 
ભારતીય વાયુસેનાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે કે વિંગ કમાન્ડર હર્ષિત સિન્હા વિમાન દુર્ઘટનામાં શહીદ થયા છે. આ સાથે વાયુસેનાએ શહીદોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. કહેવાય છે કે આ પ્લેન ક્રેશ મોડી સાંજે સાડા આઠ વાગ્યાની આસપાસ થયુ હતુ. મળતી માહિતી મુજબ, આ વિમાન નિયમિત ઉડાન પર હતું. ઘટનાની જાણ થતાં જ એરફોર્સ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
 
ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી હતી 
 
જેસલમેરના પોલીસ અધિક્ષક અજય સિંહે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે વિમાન દુર્ઘટના નેશનલ પાર્ક વિસ્તારના રણમાં થઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ જગ્યા સામ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે ફાયર એન્જિન પણ ત્યાં મોકલવામાં આવ્યા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments