Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધરાત્રે ખાવાના શોખીનો માટે ખુશ ખબરી, ફૂડ ડિલિવરીને મળશે છૂટ

Webdunia
મંગળવાર, 18 ઑગસ્ટ 2020 (16:25 IST)
ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરેન્ટમાંથી ફૂડ ડિલીવરી કરી શકાશે અને તેના માટે પોલીસ અથવા અન્ય કોઇપણ અધિકારી અવરોધ ઉત્પન્ના કરી શકશે નહી. ગુજરાત હોટલ-રેસ્ટોરેન્ટ એસોશિએશનની માંગ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેને લીલીઝંડી આપી છે. આ નિર્ણય બાદ ખાવાના શોખીન ગુજરાતીઓ મોડી રાત્રે ખાવાનું શોખવા નિકળનાર પ્રોફેશનલન્સને રાહત મળશે. 
 
ગૃહ વિભાગના ઉપસચિવ પંકજ દવેના હસ્તાક્ષરથી સોમવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 1 ઓગસ્ટથી રાત્રિ કરર્ફ્યૂં નથી. કંટેન્ટમેન્ટ ઝોન ઉપરાંત અન્ય વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિશ્વિત પ્રવૃત્તિને ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ અનુસાર હોટલ અને રેસ્ટોરેન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલી રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગહનતાથી વિચાર કર્યા બાદ સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં હોટલ અને રેસ્ટોરેન્ટને ટેક અવે (પાર્સલ સર્વિસ) ઉપલબ્ધ કરાવવા માટે સીમા રાખવામાં ન આવે. 
 
આ નિર્ણયથી રાજ્યમાં હોટલ-રેસ્ટોરેન્ટ આખી રાત પોતાના ત્યાંથી ફૂડ ડિલીવરી કરી શકશે. આ પહેલાં મોડી રાત સુધી પાર્સલ સર્વિસ સંદર્ભમાં કોઇ સ્પષ્ટતા ન હોવાથી અમદાવાદ જેવા શહેરોમાં હોટલ-રેસ્ટોરેન્ટ અને મોડી રાત્રે ખાવાનું શોધવા નિકળનાર ગ્રાહકને પોલીસ દ્વારા અસુવિધા થતી હતી. આ નિર્ણયથી ખાણી પીણી ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા રોજગારને પણ આંશિક રાહત મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments