Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં માનસિક બીમાર વૃદ્ધા મંદિર જવા નીકળ્યા ને ઘરનો રસ્તો ભુલી ગયાં, રસ્તા પર મારે ઘરે જવું છે એવી બુમો પાડતાં હતાં

Webdunia
શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (09:35 IST)
વૃદ્ધાના ગળામાં તેમના દીકરાના મોબાઈલ નંબર વાળું આઈકાર્ડ હોવાથી ઝડપથી ઘરે પહોંચાડાયા
 
અમદાવાદના શાહપુરમાં 80 વર્ષના વૃદ્ધા મંદિર જવા માટે ઘરેથી નીકળ્યા અને માનસીક બીમાર હોવાથી ઘરનો રસ્તો ભુલી ગયાં હતાં. તેથી તેઓ રસ્તા પર બેસી રહ્યાં હતાં. તેઓ રસ્તા પર મારે ઘરે જવું છે મારે ઘરે જવું છે. એવું રટણ કરતાં હતાં. આ અંગે એક નાગરીકે અભયમની ટીમને કોલ કરતાં અભયમની ટીમે વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરીને તેમને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડ્યા હતાં. 
 
રસ્તો ભૂલ્યા હોવાનું અભયમની ટીમને જાણવા મળ્યું 
પ્રાપ્ત વિગતો પ્રમાણે શાહપુર વિસ્તારમાંથી અભયમની ટીમને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, એક વૃદ્ધા ભુલા પડ્યાં છે અને તેમની માનસિક સ્થિતિ સારી નથી જેથી મદદ માટે આવો. અભયમની ટીમે ત્યાં પહોંચીને વૃદ્ધાની પુછપરછ કરી ત્યારે મહિલા કંઈ જ બોલતા ન હતાં અને મારે ઘરે જવું છે તેમ કહેતા હતાં. તેમની માનસિક સ્થિતિ સારી નહીં હોવાથી ઘરેથી નીકળી ગયા હોવાનું અને રસ્તો ભૂલ્યા હોવાનું અભયમની ટીમને જાણવા મળ્યું હતું. 
 
ગળામાં આઈકાર્ડ હોવાથી ઘર શોધવામાં સરળતા રહી
વૃદ્ધાને ઘરનું સરનામું પૂછતાં લક્ષ્મીનગરની ચાલી બોલતા હતાં પણ કયા એરિયામાં છે તે ખબર નહોતી. તેમને તેમના પરિવારના સભ્યોના નામ પણ ખબર નહોતી. વૃદ્ધાના ગળામાં એક આઈકાર્ડ પહેરેલું જોવા મળ્યું હતું. જ્યાં તેમના દીકરાનો મોબાઈલ નંબર મળી આવતાં જ અભયમની ટીમે દીકરાને ફોન કર્યો હતો. બાદમાં વૃદ્ધાને લઈને તેમના ઘરે ગયાં હતાં. 
 
વૃદ્ધ માતા સાથે દીકરો એકલો રહે છે
આ સમયે દીકરાએ જણાવ્યું હતું કે, માતા સાથે તે એકલો રહે છે. તેને ઓફિસથી આવવામાં મોડું થયું હોવાથી વૃદ્ધા મંદિરે જવા નીકળી ગયાં હતાં અને ઘરનો રસ્તો ભુલી ગયાં હતાં. જેથી અભયમની ટીમે દીકરાને સમજાવતાં જણાવ્યું હતું કે, વૃદ્ધાની માનસિક સ્થિતિ સારી નહી હોવાથી તેમનું ધ્યાન રાખવું અને ઘરેથી એકલા નીકળવા દેવા નહીં. આ રીતે ઘરનો રસ્તો ભટકેલા 80 વર્ષિય વૃધ્ધાને ઘરે મોકલીને અભયમની ટીમે માનવતા મહેકાવી હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

રાહુલ ગાંધીને આતંકવાદી કહેવા પર હોબાળો, કોંગ્રેસીઓ રસ્તા પર ઉતરી આવ્યા

'તિરુમાલા પ્રસાદમાં જાનવરોની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપોએ ખળભળાટ મચાવ્યો

મુઝફ્ફરપુરમાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, ખળભળાટ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

આગળનો લેખ
Show comments