Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra Political Crisis Live Update: મુંબઈ અને થાણેમાં કલમ 144 લાગુ, એકનાથ શિંદેના નિવાસસ્થાનની સુરક્ષા વધી

Webdunia
શનિવાર, 25 જૂન 2022 (15:03 IST)
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસૈનિકો પાર્ટીના વડા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે એકતા દર્શાવવા માટે રસ્તા પર ઉતરી શકે છે. આ ડરને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુંબઈ પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. શિવસેનાના આ બળવાની અસર આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં પણ રહેશે. આથી પોલીસને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. મહા વિકાસ આઘાડી સરકારમાં ઘણા લોકો માને છે કે જો શિવસૈનિકોને હિંસા ફેલાવવાથી અંકુશમાં લેવામાં નહીં આવે તો તે કેન્દ્રને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવાની તક આપશે અને પછી વર્તમાન સરકાર પાસે સત્તા બચાવવાનો કોઈ આધાર નથી. 

<

#WATCH | Mumbai | Shiv Sena leader Aaditya Thackeray arrives at Shiv Sena Bhawan for party's national executive committee meeting#MaharashtraPoliticalCrisis pic.twitter.com/xCF6NBPhBA

— ANI (@ANI) June 25, 2022 >
- કોંગ્રેસના બાળાસાહેબ થોરાટે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકારને કોઈ ખતરો નથી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકારને કોઈ ખતરો નથી. તેમણે કહ્યું કે તેમની પાસે ખૂબ જ મજબૂત અને અનુભવી કાનૂની ટીમ છે અને 2019માં જ્યારે મહા વિકાસ અઘાડીની રચના કરવામાં આવી ત્યારે એ જ ટીમ તેમની સાથે હતી.
 
- મુંબઈમાં કલમ 144 લાગુ
મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરિક વિખવાદ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ શિવસેનાના કાર્યકરોએ બળવાખોર નેતાઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
 
મુંબઈનાં શિવસેના ભવન ખાતે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં બેઠક મળી છે. બેઠકમાં પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને ઘણા મોટા નેતાઓએ હાજરી આપી છે.

<

#WATCH | Mumbai | Shiv Sena leader Aaditya Thackeray arrives at Shiv Sena Bhawan for party's national executive committee meeting#MaharashtraPoliticalCrisis pic.twitter.com/xCF6NBPhBA

— ANI (@ANI) June 25, 2022 >
 
- 'શિવસેના બાળાસાહેબ' નામ અલગ જૂથ બનાવવાનો નિર્ણય નથી લીધો - એકનાથ શિંદે
એકનાથ શિંદેએ કહ્યું, અમે બાળાસાહેબના શિવસૈનિક છીએ. અમે અલગ જૂથ બનાવવાનો કોઈ નિર્ણય લીધો નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments