Webdunia - Bharat's app for daily news and videos

Install App

માધવપૂર ઘેડના મેળાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પ્રસાર કરાશે, ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય યોજાઇ બેઠક

Webdunia
શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (18:26 IST)
ગુજરાતમાં પોરબંદર નજીક માધવપૂર ઘેડ ખાતે યોજાતા મેળાનો આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય સ્તરે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી પાંચ દિવસ માટે યોજાતા આ મેળાને વ્યાપક રૂપ આપવાનું આયોજન પણ ઘડવામાં આવ્યું છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉત્તરપૂર્વીય રાજ્યોના વિકાસ માટેના ભારત સરકારના મંત્રાલયના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે આ મેળાના આયોજન અંગે ગાંધીનગરમાં યોજેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એવું પણ નિયત કરવામાં આવ્યું કે, ભગવાન કૃષ્ણની ભૂમિ ગુજરાત અને રૂકમણીજીની ભૂમિ ઉત્તરપૂર્વીય પ્રદેશને સાંકળતા ધાર્મિક સ્થાનોના પ્રચાર-પ્રસારને વેગ આપવામાં આવશે. આના પરિણામે, બેઉ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન થવાથી ભવિષ્યમાં સ્થાયી રોજગારીના અવસરો પણ ઊભા થઇ શકશે.
 
મુખ્યમંત્રીએ કૃષ્ણ-રૂકમણિજીના કથાનક તેમજ પ્રાચીન-અર્વાચીન સંસ્કૃતિના આપસી આદાન-પ્રદાનથી યુવા પેઢી માહિતગાર થાય, તેને માણે અને સમજે તેવા ઉદ્દેશ્યથી સમગ્ર કાર્યક્રમ ઘડવા રાજ્યના પ્રવાસન વિભાગને દિશા નિર્દેશો આપેલા છે. આ મેળાના વ્યાપકસ્તરે પ્રચાર-પ્રસારથી ગુજરાતના પ્રવાસન ઊદ્યોગને પણ વેગ મળશે અને ગુજરાત-ઉત્તરપૂર્વીય રાજ્યની કલા-સંસ્કૃતિનો વૈભવ વારસો માણવા-નિહાળવાની તક મળશે એમ પણ આ બેઠકની ચર્ચા-વિમર્શમાં જણાવાયું હતું. 
 
મુખ્ય સચિવ અનિલ મૂકીમ, ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજકુમાર દાસ, ભારત સરકારના તેમજ ગુજરાતના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments