Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં મુસ્લિમ યુવક સાથે નિકાહ કરનાર બ્રાહ્મણ છોકરીએ કહ્યું- પતિ અયાઝ સાથે હિંદુ બનવા માટે કહીશ

Webdunia
શુક્રવાર, 18 ડિસેમ્બર 2020 (16:18 IST)
વડોદરા શહેરના નાગરવાડી વિસ્તારમાં રહેનાર એક બ્રાહ્મણ યુવતિના મુંબઇના બ્રાંદ્રાની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હિંદુ સંગઠનોના ભારે વિરોધ વચ્ચે બુધવારે પોલીસ બંનેને લઇને વડોદરા આવી ગઇ અને પોત પોતાના ઘરે મોકલી દીધા. પરિવારા દ્વારા છોકરીને સમજાવવાનો પ્રય્ત્ન ચાલુ છે. જ્યારે આ વિશે છોકરીને પૂછવામાં આવ્યું તો તેણે એટલું જ કહ્યું 'પતિ અયાઝને હિંદુ બનવા માટે કહીશ.' 
 
મળતી માહિતી અનુસાર નાગરવાડા વિસ્તારમાં રહેનાર મનીષા (નામ બદલ્યું છે) અને અને અયાઝને લગભગ 6 વર્ષોથી મિત્રતા હતી. આ મિત્રતા બાદમાં પ્રેમમાં બદલાઇ ગઇ અને બંનેએ લગ્નનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન ગત સોમવારે અયાઝ મનીષાને ઘરેથી ભગાવીને મુંબઇ લઇ ગયો. જ્યાં પહેલાં તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું અને પછી મસ્જિદમાં નિકાહ કરાવી લીધા. તેની જાણકરી જ્યારે મનીશાએ પરિવારને થઇ તો કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો. યુવકના પિતા કહ્યું કે હું અજ સુધી અંધારામાં હતો અને પુત્રના પ્રેમ સંબંધો વિશે ખબર ન હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે લગ્ન વિશે તમે વકીને પૂછો. 
 
 
હિંદુ સંગઠનોના જોરદાર પ્રદર્શન વચ્ચે સ્થિતિ ગરમાઇ ગઇ. આ દરમિયાન સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમાબેન મોહિલ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને મહામંત્રી સુનીલ સોલંકી છોકરીને મળવા તેના ઘરે પહોંચ્યા અને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત ઘણા હિંદુ સંગઠનોના નેતાઓએ મુલાકાત લીધી. 
 
આ અંગે શહેર ભાજપ પ્રમુખ વિજ્ય શાહે કહ્યું કે દર વખતે હિંદુ યુવતિ જ મુસ્લિમ બને છે. જો તેમનો પ્રેમ સાચો છે તો યુવકોને હિંદુ ધર્મ સ્વિકારી લેવો જોઇએ. હિંદુ જાગરણ મંચના નીરજ જૈને કહ્યું કે લવ જિહાદ રોકવા માટે ગુજરાત સરકરે પણ યૂપીની માફક કડક કાયદો લાવવો જોઇએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments