Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાહેરમાં થૂંકનારાઓના ખિસ્સા ખંખેર્યા, કરી અધધ...દંડની વસુલાત

Webdunia
બુધવાર, 18 માર્ચ 2020 (11:56 IST)
કોરોના વાયરસને પેન્ડેમિક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભારતમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ રોગ અંગે એપિડેમિક એક્ટ ૧૮૯૭ હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાં જાહેરનામુ બહાર પાડીને જાહેરમાં થૂકવા ઉપર પ્રતિબંધ લાદી દીદા બાદ એક દિવસમાં જાહેરમાં થુકવા બદલ રાજ્યમાં રૂ.૭૨૫૮૭૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. 
 
બિમારીઓ હોય તેવી વ્યક્તિને  વિશેષ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ બંદરો ખાતે પણ કોરોના વાયરસ અંગે સ્ક્રિનિંગ થઇ રહી છે. કુલ ૮૦ શીપમાં ૨૭૮૦ મુસાફરોનું સ્ક્રિનિંગ થયું છે. રાજ્યમાં ૩૨૮૦ મુસાફરો કોરોનાગ્રસ્ત દેશોમાંથી આવ્યા છે
 
જે પૈકી ૧૨૮૨ લોકોએ ૨૮ દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પૂર્ણ કર્યો છે. આ ઉપરાંત તમામ મુસાફરોની તબિયત સંપૂર્ણપણે સુધારા ઉપર છે. કોરોના વાયરસને લઇને રાજ્યમાં કોરોરોન્ટાઇન ફેસિલિટિની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. દેશમાંથી આવતા અન્ય પ્રવાસીઓની પણ ચકાસણી થઇ રહી છે. આઈસોલેશનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. કોરોના વાયરસ રોગની સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં   પણ અધિકૃત કરવામાં આવ્યા છે. રાજ્યમાં ૧૨૭ હોસ્પિટલોને  કોરોના વાયરસની સારવાર કરવા અધિકૃત કરવામાં આવ્યા છે. ૬૭૩ આઈસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં શ્રેણીબદ્ધ પગલા લેવાઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments