Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના ખેડૂતોને છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ. ૫૧૨૦.૦૯ કરોડ પાકવીમાના દાવા પેટે ચૂકવાયા : કૃષિ મંત્રી આર.સી. ફળદુ

Webdunia
ગુરુવાર, 5 માર્ચ 2020 (11:52 IST)
કિસાનોના હિતને વરેલી રાજય સરકારે કિસાનો માટે અનેકવિધ હિતકારી નિર્ણયો કર્યાં છે. જેના ભાગરૂપે છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ. ૫૧૨૦.૦૯ કરોડ ખેડૂતોને પાકવીમાના દાવાઓ પેટે ચૂકવી દેવાયા છે. એ જ રીતે ખરીફ-૨૦૧૯માં વિવિધ જોખમો હેઠળ આજની સ્થિતિએ રૂ. ૧૦૦.૯૧ કરોડના દાવાની ચૂકવણી કરી દેવાઈ છે. 
    
આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ખરીફ-૨૦૧૬ ઋતુથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ભારત સરકારની ગાઇડલાઇન મુજબ અમલી છે. યોજનાની માર્ગદર્શિકા મુજબ યોજના હેઠળ જુદા જુદા જોખમો જેવા કે, વાવણી ન થવી, ઉભા પાકમાં નુકશાની, સ્થાનિક આપત્તિ, પાક કાપણી પછીના નુકશાન અને ઉત્પાદનમાં થયેલ ઘટ આધારીત દાવાનો સમાવેશ કરવામાં આવેલ છે. યોજનાની જોગવાઇ મુજબ જે તે વર્ષમાં કુદરતી આફતોને કારણે થયેલ નુકશાન અને ઉત્પાદનમાં થયેલ ઘટ ના આધારે ચુકવવાપાત્ર દાવા સંબંધિત વીમા કંપનીઓ દ્વારા ચુકવવામાં આવે છે. 
 
જે સીઝનમાં જુદા જુદા જોખમો તથા પાક કાપણી અખતરા બાબતે વીમા કંપની દ્વારા વાંધાઓ લીધેલ હોય તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીઓ તથા કેન્દ્ર સરકાર કક્ષાએ પરામર્શ કર્યા બાદ દાવા ચુકવવામાં આવે છે. જે મુજબ વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૧ર૬૭.૧૯ કરોડ વર્ષ ર૦૧૭-૧૮માં રૂ. ૧૦૭૫.૪૪ કરોડ પાકવીમાના દાવાઓ ચુકવવામાં આવેલ છે તથા વર્ષ ૨૦૧૮-૧૯માં ઐતિહાસીક રૂ. ૨૭૭૭.૪૬ કરોડના દાવાઓ ચુકવવામાં આવ્યા છે. 
    
તેમણે ઉમેર્યું કે, ખરીફ-૨૦૧૯માં આજની સ્થિતીએ જુદા જુદા જોખમો હેઠળ રૂ. ૧૦૦.૯૧ કરોડના દાવાઓ ચુકવવામાં આવેલ છે તેમજ પાક કાપણી અખતરા આધારીત દાવાઓની ગણતરીની કાર્યવાહી પ્રગતિમાં છે. આથી ખેડૂતોને પાક વીમાના દાવા સમયસર મળતા નથી એવું વિપક્ષ દ્વારા વારંવાર કહેવામાં આવે છે તે વ્યાજબી નથી. તેમણે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments