Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદીને ડુંગળી-લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન બનાવ્યા નથી : સાધ્વી ઋતુંભરા

Webdunia
શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (18:10 IST)
દીદીના હુલામણા નામથી જાણીતા સાધ્વી રૂતંભરાજી દ્વારા ખેડાના મહિસા ગામ ખાતે સંવિદ ગૂરૂકુલ શરૂ કરવામાં આવ્યુ છે. જેના ઉઘ્ઘાટન પ્રસંગે તેઓ મહિસા ગામે આવ્યા હતા. જ્યાં સભાને સંબોધન કરતા સાધ્વીએ આ નિવેદન આપ્યુ હતું. સાધ્વીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ડુંગળી-લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બન્યા પરંતુ ભારત દેશને વધુને વધુ ઉન્નત બનાવવા અને રાષ્ટ્ર નિર્માણ માટે વડા પ્રધાન બન્યા છે.  
 
સંવિદ ગુરુકુલના ઉદ્ધઘાટન માટે મુખ્ય અતિથિ તરીકે આવેલા સાધ્વી ઋતુંભરાએ તેના વક્તવ્યમાં જણાવ્યું હતું  કે, ડુંગળી લસણના ભાવ સસ્તા કરાવવાનું કાર્ય વડાપ્રધાન મોદીનું નથી. તેમનું નિર્માણ રાષ્ટ્ર હિતના કાર્ય માટે થયું છે. આપણે એકજુટ થઈ, એક મત થઈ રાષ્ટ્ર નિર્માણ માટે લાગવુ જોઇએ તેવું હું બધાને નિવેદન કરું છું.
 
હાલ સાધ્વી ઋતુભંરા ગુજરાતની મુલાકાતે છે. વડોદરામાં એક કથામાં હાજરી આપવા આવેલ સાધ્વી કેવડિયા કોલોની સહિતની જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. સાધ્વી ઋતુભંરા તેમની વાક્છટા માટે જાણીતા છે. તે પોતાના મંતવ્યો પ્રખર રીતે રજૂ કરે છે ચાહે એ મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશવા દેવાનો મુદ્દો હોય કે અન્ય કોઈ મુદ્દો. જો કે પોતે કટ્ટર હિંદુવાદી છબી ધરાવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસંશક છે.  સાધ્વી ઋતુભંરા હિન્દુ ધર્મને લઈને ખૂબ જ કટ્ટરવાદી વલણ ધરાવે છે. તેમના હિન્દુ ધર્મ વિશેના ભાષણ ઘણા ભડકાઉ હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments