Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છમાં પાકિસ્તાની શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ અપાયું

Webdunia
શનિવાર, 21 ડિસેમ્બર 2019 (14:51 IST)
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા એનઆરસી અને સીએએના પગલે કચ્છમાં વસતા શરણાર્થીઓમાં દિવાળી જેવો માહોલ છે. શુક્રવારે કચ્છના ગાંધીધામ તાલુકાના કીડાણા ગામે કેન્દ્રીય રાજ્ય પ્રધાન મનસુખ માંડવિયા, સાંસદ વિનોદ ચાવડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરણાર્થીઓને નાગરિકતા પ્રદાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત પાકિસ્તાનના સિંધ પ્રાંતના પૂર્વ ધારાસભ્ય અને હાલ કચ્છમાં નખત્રાણા મધ્યે રહેતા રામસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, અમારી વર્ષો જૂની પીડાનો, વેદનાનો અંત આવ્યો છે.

આ પ્રસંગે મનસુખભાઇએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સંસદના બંને સદનમાં આ બિલને પસાર કરવામાં આવ્યું અને ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે સીએએ (નાગરિકતા સંશોધન કાયદો) આખાએ દેશમાં લાગુ થઇ રહ્યો છે, આ નિર્ણય વર્ષોથી ભારતમાં રહેતા શરણાર્થીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅને ગૃહ પ્રધાન અમિતભાઈએ દેશમાં વર્ષોથી શરણાર્થીઓ તરીકે રહેતા પરિવારોને આત્મસન્માન આપ્યું છે. ૨૦૧૪ પહેલા ભારતમાં આશ્રય લેનાર શરણાર્થીઓને જ ભારતીય નાગરિકતા અપાશે એ બાબતે લોકોમાં ખોટી ગેરસમજ ફેલાઇ રહી છે. સરકાર કોઈ પણ જાતિ કે સમુદાય વિરુદ્ધ નથી. એટલે સમાજનું હાર્દ જળવાઈ રહે તે જોવાની સૌની ફરજ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments