Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અમરાવતી નદીમાં માછલીઓના મૃત્યુ સંદર્ભે દંડનીય કાર્યવાહી

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2019 (12:24 IST)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સારંગપુર મોતાલી રોડ નજીક અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણી ભળવાના કારણે માછલી મરવાની ફરીયાદના સંદર્ભમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, અંકલેશ્વર તથા જિલ્લા મત્સ્ય ઉદ્યોગ, ભરૂચ વિભાગ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આસપાસના વિસ્તાર અને ઘટના સ્થળ પરથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમુના લઈ તથા જિલ્લા મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા ઘટના સ્થળેથી મૃત માછલીઓના નમુના લઈ સઘન તપાસ હાથ ધરી છે.
 
પ્રાથમિક તારણ મુજબ અંકલેશ્વર વસાહતમાં આવેલ ‘‘C’’ પંમ્પીન્ગ સ્ટેશન પાસેનો પાળો તા.૦૭/૧૧/૨૦૧૯ ના રોજ પડેલ વરસાદના કારણે ઉભરાઇ જતા કેમીકલ કન્ટામીનેટેડ વરસાદી પાણી સારંગપુર ખાડી મારફતે અમરાવતી નદીમાં ભળેલ હોવાનું જણાયું છે. જે સંદર્ભે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટીફાઇડ એરીયા ઓથોરીટીને તાત્કાલીક પગલા લેવા માટે પ્રાદેશિક કચેરી દ્વારા સુચના આપવામાં આવી છે. આ અગાઉ પણ નોટીફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા આ પ્રકારની નિષ્કાળજી દાખવી હતી જે અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments