Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂતો માટે ખુશના સમાચાર,સરકાર રૂ.૭૦૦ કરોડની સહાય કરાશે, ૪ લાખથી વધુ ખેડૂતોને થશે લાભ

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2019 (11:54 IST)
રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે ત્યારે રાજ્યમાં થયેલ ભારે તથા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને ખેતીના પાકમાં નુકશાન થયુ છે તે સંદર્ભે અંદાજે રૂ.૭૦૦ કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે. આ ખાસ સહાય પેકેજનો લાભ ૪ લાખથી વધુ ખેડૂતોને મળશે.  
 
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાન સંદર્ભે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે. કેન્દ્ર સરકારના કેલીમીટી રીલીફ ફંડના ધારાધોરણ મુજબ જે પાકમાં ૩૩ % થી વધારે નુકશાન થયુ હોય ત્યાં પિયત પાકોમાં પ્રતિ હેક્ટર રૂ.૧૩૫૦૦ અને બિન-પિયત પાકોમાં પ્રતિ હેક્ટર રૂ.૬૮૦૦ ની સહાય ચુકવવામાં આવશે. 
 
રાજ્યમાં ચાલુ વર્ષે થયેલ ભારે વરસાદ તથા કમોસમી વરસાદને પરિણામે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જુલાઇ-ઓગસ્ટ-સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદ તેમજ ઓક્ટોબર અંતિત અને નવેમ્બરના પ્રથમ અઠવાડીયામાં થયેલ ખેડૂતોના પાકને નુકશાન થયુ હતુ તે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત સરવેની કામગીરી શરૂ કરી હતી જે પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત કમોસમી વરસાદના સરવેમાં ખેડૂતોના પાકને જે નુકશાન થયુ છે પરંતુ નુકશાન નિર્ધારીત ધોરણ ૩૩ % કરતા ઓછુ છે તે ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય કરવાનો નિર્ણય કરાયો છે.  
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ૪ લાખથી વધુ ખેડૂતોને રૂ.૭૦૦ કરોડની કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય આપવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં વિમો લેનાર ખેડૂતોને પાક વિમા યોજનાની ગાઇડલાઇન મુજબનો લાભ અલગથી મળશે. રાજ્યમાં થયેલ માવઠાને લીધે મગફળીની ટેકાના ભાવે ખરીદી મુલતવી રખાઇ હતી તે આગામી ૧૮ મી નવેમ્બર થી પુન: ખરીદી શરૂ કરાશે.  
 
રાજ્યમાં સારા ચોમાસાને કારણે ખરીફ ઋતુમાં ૮૬.૭૭ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, મગફળી, ડાંગર, કઠોળ પાકો દિવેલા તલ વિગેરે પાકોનું સારા પ્રમાણમાં વાવેતર થયુ છે કપાસનું ૯૦ લાખથી વધુ ગાંસડી મગફળીઓ અંદાજે ૨૫ લાખ મેટ્રીક ટન થી વધુ, ડાંગરનું ૨૦ લાખ મેટ્રીક ટનથી વધુ અને દિવેલાનું ૧૪ લાખ થી વધુ મેટ્રીક ટન ઉત્પાદન અંદાજવામાં આવ્યુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments