Webdunia - Bharat's app for daily news and videos

Install App

માસિકધર્મમાં રહેલી સ્ત્રીના હાથે રોટલા ખાનારો પુરુષને બીજો જન્મ બળદનો મળશેઃ કૃષ્ણસ્વરૂપ સ્વામી

Webdunia
મંગળવાર, 18 ફેબ્રુઆરી 2020 (10:49 IST)
ભુજ નજીક આવેલી સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલ સંચાલિકાએ કેટલીક યુવતીઓના માસિક ધર્મ દરમિયાન કપડાં ઉતરાવતા હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ સંચાલિકાના વર્તનથી નારાજ થઇ હતી. ત્યારબાદ આ વિવાદ ધીમે ધીમે વધતો જાય છે. ત્યારે ફરીવાર એક નવા વિવાદે જન્મ લીધો છે. કચ્છના સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી કૃષ્ણસ્વરૂપે આજે ભક્તોને સંબોધન કર્યું હતું. તેમણે સંબંધોનમાં માસિક ધર્મ અંગે પણ વાત કરતા કહ્યું હતું કે, 'એક વખત માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના રોટલા ખાઈ જાઓ એટલે બીજો જનમ બળદનો જ છે. તમને જે લાગવું હોય એ લાગે આ શાસ્ત્રની વાત છે. જ્યારે સ્ત્રી માસિક ધર્મમમાં હોય અને પોતાના ઘરમાં પતિને રોટલા ખવડાવે તો તેનો બીજો આવતાર કૂતરીનો જ છે. આવું કહેવાથી બધાને કડક લાગે.'સ્વામી કૃષ્ણ સ્વરૂપે વધુમાં જણાવ્યું હતું કે, 'હવે આ ટકોર કરવી કે ન કરવી. 10 વર્ષ પછી ટકોર કરી છે. સંતો ના પાડતા હતા આ ધર્મની સિક્રેટ વાત ન કરતા. પરંતુ કહીએ નહીં તો ખબર નથી પડતી. હવે માસિક ધર્મમાં હોય અને તમે એના હાથના રોટલા ખાઈ જાઓ. એને પણ ભાન નથી કે આ ત્રણ દિવસ આ મારો ધર્મ છે તપશ્ચર્યા છે. આની તમને કેટલી ડિટેલ વાતો કરવી. એક એક વસ્તુ શાસ્ત્રની મર્યાદિત વાતો છે આ.'રસોઈ બનાવતા શિખી જાઓ નહીં તો નરકમાં જવા તૈયાર રહો 'મને પણ ક્યારેક સંકોચ થાય કે શું ટકોર ટકોર કરવી. પરંતુ ન કરીએ તો ક્યાં જઈએ. માટે ચેતો. રસોઈ બનાવતા શિખી જાઓ નહીં તો નરકમાં જવા માટે તૈયાર રહો' એવું નિવેદન પણ તેમણે કર્યું હતું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments