Webdunia - Bharat's app for daily news and videos

Install App

લો ગાર્ડન ખાતેના મેયર હાઉસને બદલે ચાલીના ઘરમાં જ રહેશે અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર

Webdunia
બુધવાર, 10 માર્ચ 2021 (14:20 IST)
લો ગાર્ડન ખાતેના મેયર હાઉસને બદલે  ચાલીના ઘરમાં જ રહેશે અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મેયર કિરીટ પરમાર બાપુનગરના વીરાભગતની ચાલીના એક મકાનમાં રહે છે. અને તેઓ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલ મેયર હાઉસમાં રહેવા જવાને બદલે, બાપુનગરમાં આવેલ વીરાભગતની ચાલીના ભાડાના મકાનમાં જ રહેશે.  અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે  કિરીટ પરમાર ચૂંટાઈને આવે છે. આમ છતા, તેઓએ બાપુનગરના વીરા ભગતની ચાલીનું મકાન ત્યજીને અન્ય કોઈ  બંગલો, ફ્લેટ કે સોસાયટીમાં રહેવા ગયા નથી. એવી પણ વિગત સામે આવી છે કે, કિરટ પરમાર પાસે પોતાના નામે કોઈ મોટુ વાહન નથી. અમદાવાદમાં છેલ્લે, કાનાજી ઠાકોર એવા નગરપતિ કે જેએ માધુપુરામાં છાપરાવાળા મકાનમાં રહેતા હતા. અમદાવાદમાં કિરીટ પરમાર પૂર્વે, ભાજપના સ્વર્ગસ્થ લાલજી પરમાર અનુસુચિત જાતિના મેયર બન્યા હતા. જેઓ બહેરામપૂરા વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા.ભારતીય જનતા પાર્ટીએ, અમદાવાદ પૂર્વમાંથી મેયરની પંસદગી કરવા સાથે એક કાકરે બે પક્ષી મારવા જેવો ઘાટ ક્યો છે. અમદાવાદ પૂર્વમાંથી મેયરની પસંદગી કરવામાં આવતી નથી તેવી લાગણી કાર્યકરોમાં ફેલાઈ છે તે વધુ ના પ્રસરે તે માટેની આ કવાયત હાથ ધરી છે. તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં સૌથી વધુ અનુસુચિત જાતિની વસ્તી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં છે. આથી અમદાવાદ પૂર્વના અનુસુચિત જાતિના લોકોને પણ અન્યાયની લાગણી ના થાય તેનું ધ્યાન રખાયુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments