Publish Date: Tue, 23 Jun 2020 (10:15 IST)
Updated Date: Tue, 23 Jun 2020 (10:18 IST)
અમદાવાદ રથયાત્રા: CM રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, DGP સહિતના લોકો ભગવાન જગન્નાથની પહિંદવિધિમાં પહોંચ્યા
ગૃહ પ્રધાનની મંદિર માં ટ્રસ્ટીઓ સાથે પોલીસ અધિકારીઓ સાથે સતત બેઠક ચર્ચા.
3 રથને મંદિર ગેટની બહાર લઈ જવાની શક્યતાઓ પર થઇ ચર્ચા
હાઈ કોર્ટના ઓર્ડ ની અવમાનના ના થાય એ રીતે રથ ને મંદિર ના પરિસર ની બહાર લઈ જઇ શકાય કે નહીં એ અંગે થઈ રહ્યો છે વિચાર.
ભાવનગરમાં રથયાત્રાને લઇ પહિંદ વિધી શરૂ, રથયાત્રા માત્ર મંદિર પરિષરમાં જ ફરશે, રાજવી પરિવારના વિજયરાજસિંહજી હાજર રહ્યાં, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યાં
અમદાવાદઃ જગન્નાથ મંદિર પરિસરમાં રથને કયા રૂટમાં ફેરવવો તે અંગે ડીજી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે કરી ચર્ચા, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા ની માગ પર કોઈ નિરાકરણ નહી, પોલીસ પ્રસાશન હાઇકોર્ટના આદેશનું પાલન કરશે