Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથની જળયાત્રામાં ગાડીમાં કળશ લઈ જવાયા

Webdunia
શુક્રવાર, 5 જૂન 2020 (12:15 IST)
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ છે. કોરોનાની મહામારીના કારણે 143મી રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં આજે ભક્તો અને સાધુ-સંતો જોડાયા નથી. શોભાયાત્રા વગરની જળયાત્રામાં માત્ર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને પૂજારીઓ જોડાયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ જળયાત્રાની પૂજામાં જોડાયા હતાં. મંદિર તરફથી રાજકીય નેતાઓન પૂજામાં નહિ જોડાય માત્ર સાદાઈથી પૂજા અને યાત્રા યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ દર વર્ષની જેમ પરંપરાગત રીતે નાયબ મુખ્યમંત્રી આ વિધિમાં જોડાયા હતા.  સવારે 8.45 વાગ્યે એક જ ગજરાજ સાથે ગાડીમાં જળયાત્રા નીકળી હતી. કળશને ગાડીમાં સાબરમતી નદીના ભુદરના આરે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પૂજા કરી હતી. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી મંત્રી નીતિન પટેલ આવી પહોંચ્યા હતાં. કળશની પૂજા બાદ દિલીપદાસજી, મહેન્દ્ર ઝા અને નાયબ મુખ્યમંત્રી કળશ લઇ સાબરમતી નદીમાંથી જળ ભર્યું હતું. બોટમાં બેસી નદીમાંથી જળ ભરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હરિયાણામાં BJPની પહેલી લીસ્ટ જાહેર, 67 નામ, 25 નવા ચહેરા, 8 મંત્રીઓ રિપીટ

UMID Card- રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર, UMID હેલ્થ કાર્ડ યોજના હેઠળ મફત સારવાર મળશે

સુરતમાં બેંક ખાતા ખોલાવી કિટ અને સીમકાર્ડ દુબઈ મોકલવાનું રેકેટ ઝડપાયુ

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવારોની યાદી બહાર પાડતા પહેલા સીએમ સૈનીને દિલ્હી બોલાવવામાં આવ્યા

ભારે વરસાદ અને ભૂસ્ખલનથી નાગાલેન્ડમાં તબાહી, એકનું મોત,

આગળનો લેખ
Show comments