Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઈપીએસ વણઝારા અને અમિન ડિસ્ચાર્જ કરાયા

Webdunia
ગુરુવાર, 2 મે 2019 (15:00 IST)
ગુજરાતમાં સૌથી વધુ ચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડીજી વણઝારા અને પૂર્વ DYSP એન.કે અમિનને આજે સીબીઆઈ કોર્ટે મોટી રાહત આપતા કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા છે. રાજ્ય સરકારે કાર્યવાહીની મંજૂરી ન આપતા કોર્ટે તેઓને મુક્તિ આપી છે. ડી.જી વણઝારા અને એન.કે અમીને ડિસ્ચાર્જ માટે અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં અરજી કરી હતી. અમદાવાદ કોતરપુર વોટર વર્કસ પાસે ઈશરત જહાં અને તેના સાથીઓના થયેલા એન્કાઉન્ટર બાદ પકડાયેલા ગુજરાત પોલીસના અધિકારીઓ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. સીબીઆઈ કોર્ટમાં પૂર્વ આઈપીએસ ડી.જી વણઝારા અને ડીવાયએસપી એન.કે અમીને કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. આ અરજીને કોર્ટે માન્ય રાખી હતી. સીબીઆઈએ ડી.જી વણઝારાની ધરપકડ વખતે રાજ્ય સરકારની મંજૂરી લીધી ન હતી. આ સ્ટેટમેન્ટને સીબીઆઈ કોર્ટે માન્ય રાખી હતી.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments