Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પીએમ કોવિડ કેર્સ હોસ્પિટલ માટે વેસ્ટર્ન નેવલ કમાન્ડથી ભારતીય નૌસેનાની મેડિકલ ટીમ તહેનાત

Webdunia
શુક્રવાર, 30 એપ્રિલ 2021 (13:02 IST)
વર્તમાન કોવિડ સંકટને નિવારવા માટે સશસ્ત્ર દળોના યોગદાન સ્વરૂપે ચાર ડોકટર, સાત નર્સ, 26 પેરામેડિકસ અને 20 સહાયક કર્મચારી સહિતની 57 સભ્યોની નૌસેનાની એક મેડિકલ ટીમ 29 એપ્રિલ, 2021ના રોજ અમદાવાદમાં તહેનાત કરાઈ છે. 
 
કોવિડ સંકટનો સામનો કરવા માટેની એક વિશેષ ‘પીએમ કેર્સ કોવિડ હોસ્પિટલ’ તૈયાર કરવામાં આવી છે, જ્યાં આ ટીમને તહેનાત કરાઈ છે. ટીમને હાલ 2 મહિના માટે તહેનાત કરવામાં આવી છે અને મેડિકલ ટીમનો સમયગાળો આવશ્કતા અનુસાર વધારવામાં આવશે.         
કેલિકટના એઝિમાલા નેવલ એકેડમી તરફથી ઈમરજન્સીના ભાગરૂપે 30 તબીબોની ટીમ અમદાવાદના કોવિડ સેન્ટર માટે ફાળવવામાં આવી છે. સ્ટેટ હેલ્થ ઓથોરિટી સાથે કો-ઓર્ડિનેટ કરીને આ મેડિકલ સુવિધા ઉભી કરવામા આવી છે તેવુ જાણવા મળ્યું છે. 
 
ગાંધીનગરમાં શરૂ થનારી 1200 બેડની કોવિડ હોસ્પિટલ અંગે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ હોસ્પિટલ હેલીપેડ ગ્રાઉન્ડ પર બનવાની હતી, પરંતુ હવે આ હોસ્પિટલ મહાત્મા મંદિરમાં બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments