Webdunia - Bharat's app for daily news and videos

Install App

ITની રેડ વડોદરામાં બેંકર્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ઈન્ક્મ ટેક્સના દરોડા

Webdunia
બુધવાર, 8 જૂન 2022 (09:53 IST)
ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ બાદ વડોદરામાં તપાસ હાથ ધરી છે. વડોદરાની બેંકર્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. વડોદરા અને સુરત ખાતે આવેલી હોસ્પિટલના નાણાકિય વહિવટની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બેંકર્સ ગ્રુપની ઓફિસ, હોસ્પિટલ સહિતના માલિકોના ઘર પર પણ આઈટીની ટીમ ત્રાટકી છે. 
 
ત્રણ ટીમ તપાસમાં જોડાઈ
વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં રહેતા ડો.દર્શન બેંકરના નિવાસ સ્થાન પર પણ આઈટીની ટીમ ત્રાટકી છે. કુલ ત્રણ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે દર્શન બેંકર સાથે જોડાયેલા સ્થળો પર પણ વહેલી સવારથી આઈટી વિભાગની ટીમોએ ગુપ્ત રીતે તપાસ હાથ ધરી છે. તપાસમાં મોટાપાયે ગેરરીતિ નાણાકિય હાથ આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.
 
ત્રણ ટીમ તપાસમાં જોડાઈ
વડોદરા અને અમદાવાદ ખાતે બેંકર ગ્રુપની ઓફિસ અને હોસ્પિટલ તથા નિવાસ સ્થાને તપાસની કામગીરી આઈટી દ્વારા હાથ ધરાઈ છે. જેમાં લગભગ 50 જેટલા અધિકારીની ટીમ તપાસમાં જોડાઈ હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરા અને અમદાવાદના બેંકર ગ્રુપના લગભગ ડઝન કરતાં વધુ સ્થળોએ એક સાથે તપાસ ચાલી રહી છે.કોરોના બાદ જમીન અને સોનાની ખરીદી કરવાના પગલે આ તપાસ થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે જ વાઘોડિયા રોડની હોસ્પિટલની 18 કરોડ લોન કોરોનામા ભરપાઈ કરી દેવામાં આવી હોવાની પણ ચર્ચા છે. હાલ આઈટી દ્વારા કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને નાણાકિય વહિવટના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ થઈ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments