Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં નુપુર શર્માના પોસ્ટર રોડ પર લગાવનાર, છાપનાર સહિત 5 ઝડપાયા

Webdunia
સોમવાર, 13 જૂન 2022 (16:02 IST)
ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ કરેલા વિવાદિત નિવેદનને લઈને દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે ચાર દિવસ પહેલાં સુરતમાં રોડ પર પોસ્ટર લગાવી અને વીડિયો વાઇરલ કરી કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે વીડિયો આધારે પોસ્ટર લગાવનાર, છાપનાર અને સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરનાર પાંચની ધરપકડ કરી છે.

પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રણ આરોપીઓના મોબાઈલમાંથી ઉશ્કેરણીજનક વીડિયો પણ મળી આવ્યા છે.નુપુર શર્માની વિવાદિત ટીપ્પણીને લઈ સુરતમાં પણ વિરોધ થઈ રહ્યો છે. નાનપુરા કાદરશાની નાળમાં રોડ પર નૂપુર શર્માના ફોટા ઉપર બુટ પ્રિન્ટની છાપવાળા પોસ્ટરો બે શખ્સોએ ચોંટાડી મેસેજ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. મેસેજમાં લખ્યું કે ‘ભાઈ 40-50 પોસ્ટર જો છપે ઉસસે કામ નહિ હુઆ, અબ જ્યાદા છપાને પડેંગે, યુપી ઔર ઝારખંડ જૈસા કરના હૈ.’વીડિયોના આધારે અઠવા પોલીસે જાતે ફરિયાદી બની 3 યુવકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે મોહંમદ તૌફીક શેખ અને સદ્દામ સૈયદે પોસ્ટરો ચોંટાડ્યા હતા. જ્યારે નુપુર શર્માના પોસ્ટરો નાનપુરાની પ્રિન્ટિંગ ઈમરાનખાન પઠાણે છાપ્યા હતા. ઈમરાન નાનપુરામાં રહે છે. જ્યારે તૌફીક અને સદ્દામ કાદરશાની નાળમાં રહે છે.સુરતમાં નૂપુર શર્માના ફોટા ઉપર બુટની પ્રિન્ટવાળા પોસ્ટર રોડ પર ચોંટાડતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ સમાજને ઉશકેરવા માટે જુદા-જુદા વ્હોટ્સએપ ગ્રુપમાં વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયો નાનપુરા કાદરશાની નાળનો હોવાનું જણાતા અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને વીડિયોમાં નજરે પડતા મોહમંદ તૌફીક મોહમંદ રફીક શેખ, સદ્દામ રઉફ સૈયદ અને ઇમરાનખાન હબીબખાન પઠાણની ધરપકડ કરી હતી. આ ત્રણેયના મોબાઇલમાંથી ઉશકેરણીજનક વીડિયો મળ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments