Webdunia - Bharat's app for daily news and videos

Install App

માસ્ક ન પહેરનાર લાખો લોકોને ફટકાર્યો દંડ, 250 દિવસમાં 93.56 કરોડનો દંડ વસૂલ્યો

Webdunia
સોમવાર, 7 ડિસેમ્બર 2020 (11:10 IST)
હાલમાં ફરી એકવાર કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વારંવાર કહી ચૂક્યા છે કે જ્યાં સુધી કોરોનાની રસી આવે નહી ત્યાં સુધી માસ્ક જ રસી છે. કોરોના સંક્રમણથી બચવા માસ્ક એકમાત્ર વિકલ્પ છે. ત્યારે  શહેરના લોકો માસ્ક ન પહેરવા માટે અવનવા બહાના બનાવી રહ્યા છે. ત્યારે બહાનેબાજ લોકો વિરૂદ્ધ કડક પગલાં ભરતાં દંડ વસૂલવાની કાર્યવાહી ધરવામાં આવી રહી છે. 
 
ગત  250 દિવસમાં માસ્ક વગરના 21.40 લાખ લોકોને પકડીને તેમની પાસેથી પોલીસે રૂ.93.56 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. તેમ છતાં લોકો માસ્ક પહેરતા નથી. પોલીસ વડા આશિષ ભાટિયાએ લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી છે.
 
જ્યારે લોકડાઉનથી આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જાહેરનામા ભંગના 60,400 ગુના નોંધાયા છે. જ્યારે લોકડાઉન અને કર્ફ્યૂ દરમિયાન ફરતા 4.92 લાખ વાહનોને પોલીસે ડિટેઈન કર્યાં હતાં.
 
દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અને હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે. જેમાં સરકારની ગાઈડલાઈનનું કડક પાલન થાય તે જોવાની જવાબદારી પોલીસની છે. જેથી ડીજીપીએતમામ પોલીસ અધિકારીને લગ્ન, રાજકીય સમારોહમાં ગાઈડલાઈનનો કડક અમલ કરાવવાની સૂચના આપી છે.
 
કોરોનાને કંટ્રોલમાં લેવા માટે પણ જરૂરી પગલાં લેવા માટે ડીજીપીએ તમામ પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી છે. ડીજીપીએ તમામ પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસવડા સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તમામ પોલીસ અધિકારીઓને માસ્ક, સેનિટાઇઝર ર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા ખાસ સૂચના આપી હતી. તેમાં પણ ખાસ કરીને રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, એસટી બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ તેમજ શાકમાર્કેટ સહિતની માર્કેટોમાં પોલીસનો પોઈન્ટ ગોઠવવા તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments