Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભાની ચૂંટણીમાં પંજાબ-ચંદીગઢ સહિત ગુજરાતની જવાબદારી મળશે તો નિભાવીશઃ વિજય રૂપાણી

Webdunia
ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (15:07 IST)
f Punjab-Chandigarh
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે અંબાજી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, 2024ની ચૂંટણીમાં પાર્ટી દ્વારા પંજાબ-ચંદીગઢની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત જો પક્ષ દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રની જે પણ જવાબદારી આપવામાં આવશે તે નિભાવવા માટે હું તૈયાર છું. તેમણે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવી પ્રાર્થના કરી હતી.

બુધવારે રાત્રે વિજય રૂપાણી પરિવાર સાથે માં અંબાના દર્શન માટે અંબાજી સર્કિટ હાઉસ આવ્યા હતાં અને આજે સવારે તેમણે માતાજીના દર્શન કર્યા હતાં. મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ હવન શાળામાં ધજાનું પૂજન કરીને મંદિરના શિખર પર ધજા અર્પણ કરી હતી.બાદમાં માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને રક્ષા કવચ બંધાવ્યું હતું. વિજય રૂપાણીએ લોકસભા ચૂંટણીમાં જવાબદારી અંગે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે,2024ની ચૂંટણીમાં તો મારી જવાબદારી પંજાબ અને ચંદીગઢની છે. આ ઉપરાંત ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં જે કંઈ પણ કામગીરી સોંપવામાં આવશે તે કરવા હું તૈયાર છું. 3 રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. છેલ્લા 10 વર્ષથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે. ત્યારે હજુ વધુ 5 વર્ષ નરેન્દ્ર મોદીને દેશને વિશ્વ ગુરુ બનાવવા માટેની કામગીરી કરવાની તક મળે તે માટે મા અંબા પાસે પ્રાથના કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

કોલકાતા: જુનિયર ડોકટરો કામ પર પાછા ફરશે, આંદોલન 'આંશિક રીતે' સમાપ્ત

મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો, ગઈકાલથી ઘણા લોકો લાઈનમાં છે

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

આગળનો લેખ
Show comments