Webdunia - Bharat's app for daily news and videos

Install App

દોઢ વર્ષની બાળકી પર બળાત્કારઃ હિંમતનગરનું રાયગઢ ગામ સજ્જડ બંધ

Webdunia
સોમવાર, 1 ઑક્ટોબર 2018 (12:55 IST)
સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામ ખાતે દોઢ વર્ષની બાળકી પર થયેલા રેપના વિરોધમાં આજે હિંમતનગરનું રાયગઢ ગામ સજ્જડ બંધ રહ્યું છે. ગામના તમામ લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા હતા. ગામના તમામ લોકો બંધમાં જોડાયા છે. ગામની મુખ્ય બજારમાં એક પણ દુકાન ખુલી નથી. બંધ પહેલા ગામના લોકોએ રાત્રે કેન્ડલ માર્ચ કાઢી હતી.બીજી તરફ ઢુંઢર ગામ ખાતે બાળકી પર થયેલા રેપના મામલે વિરોધ પ્રદર્શન કરતા હિંમતનગરના ગામડી ગામ ખાતે હાઇવે પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા. હિંમતનગર-શામળાજી હાઇવે પર અજાણ્યા લોકોએ બળાત્કારની ઘટનાનો વિરોધ કરીને હાઇવે વચ્ચે જ ટાયરો સળગાવ્યા હતા.


બળાત્કારનો ભોગ બનેલી દોઢ વર્ષની બાળકીની હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. બનાવના દિવસે જ મોડી રાત્રે બાળકીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. અહીં તાત્કાલિક તેના પર ઓપરેશન કરવામાં આવ્યું હતું.હાલ અમદાવાદ સિવિલ ખાતે સારવાર હેઠળ રહેલી બાળકીની મુલાકાત બાળ આયોગના ચેરમેન લેશે. મુલાકાત દરમિયાન બાળ આયોગ પરિવારને સહાયની પણ જાહેરાત કરશે.રવિવારે હિંમતનગરના રાયગઢ ગામ સહિત તેની આસપાસના સાત જેટલા ગામના લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી.

લોકોએ આરોપીને ફાંસીને સજા મળે તેવી માંગણી કરી હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.બનાસકાંઠાના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામે શુક્રવારે મોડી સાંજે એક દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામં આવ્યો હતો. ગામની બાજુમાં આવેલી એક ફેક્ટરીના મજૂરે દોઢ વર્ષની બાળકી સાથે આ જધન્ય કૃત્ય આચર્યું હતું. આ વાતની ખબર ગામના લોકોને પડતા લોકોએ ફેક્ટરી બહાર પડેલી ત્રણ કાર અને બાઇકોમાં આગ લગાડી દીધી હતી. એટલું જ નહીં લોકોએ ફેક્ટરીમાં પણ તોડફોડ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments