Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં ખાબક્યો

Webdunia
મંગળવાર, 20 જુલાઈ 2021 (09:23 IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન  111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસા વલસાડના કપરાડામાં 5 ઇંચ નોંધાયો છે. જ્યારે વલસાડના ધરમપુરમાં 4 ઇંચ નોંધાયો છે. નવસારીના ખેરગામ અને આહવા ડાંગમાં 3 કરતાં વધારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં 10 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે 27 તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. અમદાવાદમાં દિવસભર કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા પરંતુ વરસાદ વરસ્યો ન હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે મૂશળાધાર વરસાદ ખાબક્યો હતો. સમુદ્ર કિનારે લો પ્રેશર અને સાઇક્લોનિક સુર્કુલેશન સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં 11 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. વલસાડના ઉમરગામમાં 11 ઇંચ, દમણમાં 10 ઇંચ, વાપીમાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. સંઘ પ્રદેશ દમણ સહિત વલસાડ જિલ્લામાં મૂશળાધાર વરસાદના લીધે નીચલા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. 
ઉમરગામમાં સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 12 કલાકમાં 10.5 ઇંચ મૂશળાધાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાય હતા. ઉમરગામમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી બે કલાકમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણમાં 10, વાપીમાં 9, નવસારીમાં 8 અને વલસાડમાં 6 જ્યારે કપરડામાં 4 અને પારડીમાં 3.5 ઇંચ વરસાદ થયો છે. 
 
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments